કાશ્મીરમાં બે વર્ષમાં 10 નવા પક્ષ બન્યા

કાશ્મીરમાં બે વર્ષમાં 10 નવા પક્ષ બન્યા

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે યોજાશે તે અંગેની અનિશ્ચિતતા વચ્ચે પણ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેવા માટે કેન્દ્રશાસિત પ્રદેશમાં ઘણા નવા રાજકીય પક્ષોની રચના કરવામાં આવી રહી છે. 2022 પછી કાશ્મીર ખીણમાં છેલ્લાં બે વર્ષમાં 10થી વધુ નવા પક્ષો બન્યા છે. જેમના નેતાઓ દાવો કરે છે કે તેઓ પરંપરાગત પક્ષોના વિકલ્પ છે. ખીણમાં પહેલેથી જ હાજર પરંપરાગત પક્ષોના નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે મોટા ભાગની પાર્ટીઓ જમ્મુમાં નહીં પણ માત્ર કાશ્મીરમાં જ કેમ બની રહી છે? જ્યાં ગત ચૂંટણીમાં ભાજપે મોટા ભાગની બેઠકો જીતી હતી. નવા પક્ષો બનાવનારા લોકોમાં મોટા ભાગના નેતાઓ જૂના પક્ષોના છે, જેઓ કોઈ ને કોઈ કારણસર પોતાની પાર્ટીઓથી નારાજ હતા. હવે તેઓ નવા પક્ષો બનાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ કેન્દ્રશાસિત પ્રદેશની ભ્રષ્ટ વ્યવસ્થામાં પરિવર્તન લાવવા આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસનને પાંચ વર્ષ થવા આવ્યાં છે. ચૂંટણીનો સમય હજુ નક્કી થયો નથી. રાજકીય પક્ષોના નેતાઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થવી જોઈએ. તેમનો આરોપ છે કે ભાજપ પોતાની હારના ડરથી રાજ્યમાં ચૂંટણીમાં જાણી જોઈને વિલંબ કરી રહ્યો છે. જ્યારે બીજેપીનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે થશે તે નક્કી કરવાનું કામ પાર્ટીનું નહીં પરંતુ દેશના ચૂંટણીપંચનું છે. રાજ્યમાં ચૂંટણી ક્યારે યોજાશે તે તો માત્ર પંચ નક્કી કરશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow