લોકમેળામાં 25000ની અપસેટ સામે સ્ટોલની 1 લાખની બોલી

લોકમેળામાં 25000ની અપસેટ સામે સ્ટોલની 1 લાખની બોલી

રાજકોટ શહેરના લોકપ્રિય રસરંગ લોકમેળા માટે વિવિધ સ્ટોલના ડ્રો અને હરાજીની શરૂઆત થઈ છે. ડ્રો બાદ પ્રથમ દિવસે ખાણીપીણીના બી-1 કેટેગરીના ખાણીપીણીના 32 સ્ટોલ માટે હરાજી રાખવામાં આવી હતી. જેની અપસેટ કિંમત 25000 રાખવામાં આવી હતી જેની સામે અધધ 1,05,000 રૂપિયા સુધીની બોલી લગાવાઈ છે. સરવાળે તંત્રને 1.81 કરોડ રૂપિયાની આવક થઈ છે.

32 સ્ટોલની હરાજી શરૂ થતા અલગ અલગ સ્ટોલ માટે અલગ અલગ બોલી લગાવાઈ હતી. જોકે હરાજી દરમિયાન સૌથી ઓછી કિંમતના સ્ટોલની બોલી પણ 71000 રૂપિયા સુધી પહોંચી હતી. જ્યારે બાકીના સ્ટોલની બોલી 75થી 80,000ની વચ્ચે રહી હતી. જ્યારે 30 નંબરના સ્ટોલમાં 1,05,000 રૂપિયા સુધી બોલી પહોંચી હતી. હરાજી બાદ ખાણીપીણીના કોર્નરના પ્લોટ સ્ટોલધારકોને ફાળવી દેવાયા છે. આ સાથે તેઓએ ભરેલી એડવાન્સ રકમ તથા હરાજીમાં આખરી થયેલી રકમ બાદ તફાવતની રકમ ભરવા માટે 17મી ઓગસ્ટ સુધીની મુદત આપવામાં આવી છે. તા.10મીએ યાંત્રિક રાઇડ્સ તથા 11મીએ આઇસક્રીમના સ્ટોલ માટે હરાજી કરાશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow