નવા વર્ષમાં લોન મોંઘી થવાની શક્યતા ઓછી દેશમાં રેપોરેટ રિટેલ ફુગાવા કરતાં 0.37% વધુ

નવા વર્ષમાં લોન મોંઘી થવાની શક્યતા ઓછી દેશમાં રેપોરેટ રિટેલ ફુગાવા કરતાં 0.37% વધુ

2022નું વર્ષ અનેક પડકારો ભર્યું હતું પરંતુ નવા વર્ષે રાહત મળે તેવી શક્યતા છે. નવા વર્ષમાં લોન મોંઘી નહીં થાય. રેપોરેટમાં હવે એકાદ વધુમાં વધુ વધારો 0.25% રહી શકે છે ત્યારબાદ રિઝર્વ બેંકના નીતિગત દર લાંબા સમય સુધી સ્થિર રહેશે.

વિશ્લેષકોના મતે એવું પણ શક્ય છે કે 2023ના અંત સુધીમાં વ્યાજ દરો ઘટવા લાગે. આનું સૌથી મોટું કારણ એ છે કે દેશમાં રેપોરેટ મોંઘવારી દર કરતા 0.37% વધારે છે. ટેક્નિકલી રીતે તેને રિયલ સેન્ટ્રલ બેંક રેટ કહેવામાં આવે છે જ્યારે તે શૂન્યથી ઉપર હોય છે ત્યારે મધ્યસ્થ બેંકો સામાન્ય રીતે દરો વધારવાનું બંધ કરે છે.

બેંક ઓફ બરોડાના અર્થશાસ્ત્રી અદિતિ ગુપ્તાએ જણાવ્યું કે હાલમાં ભારત સહિત માત્ર પાંચ મોટા દેશોમાં વાસ્તવિક સેન્ટ્રલ બેંક રેટ શૂન્યથી ઉપર છે. જેમાં ચીન, સાઉદી અરેબિયા, બ્રાઝિલ અને મેક્સિકોનો સમાવેશ થાય છે. જ્યારે વાસ્તવિક સેન્ટ્રલ બેંક રેટ શૂન્યથી નીચે આવે છે ત્યારે ચલણનું વાસ્તવિક મૂલ્ય ઘટવાનું શરૂ થાય છે. તેથી જ જ્યારે ફુગાવો વધે છે ત્યારે રિઝર્વ બેંક રેપો રેટ વધારવાનું શરૂ કરે છે, જેથી વાસ્તવિક સેન્ટ્રલ બેંક રેટ શૂન્યથી ઉપર રહે અને આરબીઆઈએ આ લક્ષ્ય હાંસલ કર્યું છે.

રિટેલ ફુગાવો 2023-24માં માત્ર 5%થી થોડો વધુ રહી શકે
રિઝર્વ બેન્ક આવતા વર્ષે રેટ વધારતા પહેલા અત્યાર સુધી કરવામાં આવેલા રેપોરેટમાં થયેલા 2.25% વધારાની સંપૂર્ણ અસર જોવા માંગે છે. બ્રોકરેજ ફર્મે એક યાદીમાં કહ્યું, ‘અમારું અનુમાન છે કે આરબીઆઇ 2023માં રેપો રેટને 6.25-6.5% પર સ્થિર રાખશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow