જૂનાગઢના સુખપુરની સગીરાને 3 નહીં 9 હેવાને 7 માસ સુધી પીંખી!

જૂનાગઢના સુખપુરની સગીરાને 3 નહીં 9 હેવાને 7 માસ સુધી પીંખી!

જૂનાગઢ તાલુકાના સુખપુર ગામની સગીરાને યશ ઉર્ફે કાનો બાલા દુધાત્રા (રે. સુખપુર)એ સૌથી પહેલાં તેના ઘર નજીકજ રાત્રિનાં સમયે દબોચી લઇને દુષ્કર્મ આચર્યા બાદ વારાફરતી પોતાના મિત્રો પાસે પણ દુષ્કર્મ કરાવ્યું હતું. સગીરા જ્યારે પણ શાળાએ જતી હોય અથવા રીસેસમાં હોય ત્યારે છરી બતાવીને બોલાવી લેવાતી અને બાદમાં અધમ કૃત્ય આચરવામાં આવતું.

યશે બાદમાં કેયુર હરસુખ વાગડીયા (રે. માખિયાળા) અને દિવ્યેશ ઉર્ફે ગીલી ચંદુ ગજેરા (રે. વડાલ) ને પણ બોલાવી સગીરાને પીંખી હતી. સગીરા શાળાએ ન જતાં અને શાળાના નામથીજ ગભરાઇ જતાં પિતાએ ફોસલાવીને આખી વાત કઢાવતાં પુત્રી પરનો અત્યાચાર બહાર આવ્યો હતો. આથી આખરે પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. પોલીસે તુરતજ ત્રણેયને પકડી લઇ લાલ આંખ કરતાંજ ત્રણેય વાસનાના વરુઓ બકરીની માફક બેંબેં કરવા લાગ્યા હતા. અને બાકીના 6 શખ્સોનાં નામ પણ બકી દીધા હતા.

જેના આધારે પોલીસે જયેશ કાનજી હિરપરા (ઉ. 40, રે. સુખપુર), રાકેશ બાબુ હિરપરા (ઉ. 40, રે. સુખપુર), ધર્મેશ બાલુ પારખીયા (ઉ. 37, રે. સુખપુર), કૃતિક રાજેશ શીંગાળા (ઉ. 19, રે. સીચોડ), પિયુષ હરસુખ હિરપરા (ઉ. 32, રે. સુખપુર) અને સાગર જગદીશ મૂળિયા (ઉ. 20, રે. કેરાળા)ની ધરપકડ કરી હતી. અને તેઓના નિવેદનો લીધા હતા.

સગીરાનું સર્વસ્વ લૂંટતા રહેલા શેતાનો પોલીસ સમક્ષ પોપટ બની ગયા હતા. અને પોતે આચરેલા ગુનાની સીલસીલાબંધ હકીકતો ઓકી નાંખી હતી. પોલીસે છએયને મેડીકલ ચેકઅપ માટે સિવીલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. બનાવની તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ મથકના મહિલા પીઆઇ ગઢવી ચલાવી રહ્યા છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow