ભારતની મેચની ટિકિટ 30 ઓગસ્ટથી ખરીદી શકશો

ભારતની મેચની ટિકિટ 30 ઓગસ્ટથી ખરીદી શકશો

ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વન-ડે વર્લ્ડ કપની ટિકિટ આજે રાત્રે 8 વાગ્યાથી ઉપલબ્ધ થશે. https://tickets.cricketworldcup.com પર જઈને ટિકિટ બુક કરી શકશો. હાલ ભારતની મેચની ટિકિટ મળશે નહીં. આ માટે 30 ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે. ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ 3 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. સેમિફાઇનલ અને ફાઇનલની ટિકિટ 15 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. ટિકિટ મેળવવા માટે ચાહકોએ પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી અમદાવાદમાં શરૂ થશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. ભારતીય ટીમ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ સામે અને 3 ઓક્ટોબરે નેધરલેન્ડ્સ સામે તેની પ્રેક્ટિસ મેચ રમશે.

વર્લ્ડ કપની હાઈવોલ્ટેજ મેચ એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે. પહેલા આ મેચ 15 ઓક્ટોબરથી રમાવાની હતી, પરંતુ આ દિવસથી નવરાત્રિ શરૂ થવાને કારણે ભારત-પાકિસ્તાનની મેચ સહિત 9 મેચની તારીખ બદલવામાં આવી હતી.

Read more

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ જોરદાર હલ્લાબોલ કર્યો હતો. 'GCAS એટલે કંકાસ'ના સૂત્રો સાથે યુનિવર્સિટી કેમ્પસમા

By Gujaratnow
રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતી (FRC)ના ચેરમેનની છેલ્લા 5 માસથી ખાલી પડેલી જગ્યા પર રાજ્ય સરકાર દ્વારા આખરે ચેરમેનની નિમણુ

By Gujaratnow