આ દિવસે દેવી દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરો

આ દિવસે દેવી દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરો

ગુરુવાર એટલે કે માર્ચ 30ના રોજ ચૈત્રી નવરાત્રિની નોમ છે. આ દિવસે શ્રીરામનો પ્રગટ ઉત્સવ એટલે કે રામનવમી તરીકે પણ ઉજવવામાં આવે છે. નવરાત્રીના નવમી દિવસે દેવી દુર્ગાના નવમા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતા દેવી અને શ્રીરામના મંત્રોનો જાપ અને ધ્યાન કરવું જોઈએ.

ઉજ્જૈન જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા મુજબ, નવરાત્રીના નવ દિવસ સુધી કરવામાં આવેલી પૂજા-અર્ચનાનું ફળ દેવી સિદ્ધિદાત્રી નોમની તિથિ પર આપે છે. નોમનાં દિવસે નાની કુમારિકાઓ ભોજન કરાવવવાની પણ પરંપરા છે. જમાડ્યા બાદ કન્યાઓની પૂજા કરવામાં આવે છે. છોકરીઓએ લાલ ચુનરી, દક્ષિણા આપવી જોઈએ આ સાથે જ શિક્ષણ સંબંધિત વસ્તુઓ દાન કરવું જોઈએ.

માતા સિદ્ધિદાત્રી કમળના ફૂલ પર બિરાજમાન છે. તેમનું વાહન સિંહ છે. માતા સિદ્ધિદાત્રીના ચાર હાથ છે. એક જમણા હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર છે. એક ડાબા હાથમાં કમળ છે અને બીજા હાથમાં શંખ છે.

આ રીતે કરી શકો છો સિદ્ધિદાત્રીની પૂજા
આ દિવસે સ્વરે જલ્દી જાગો. સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં પૂજા કરવાનો સંકલ્પ લો. દેવી દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા-અર્ચના કરો. સિદ્ધિદાત્રી દેવીનો પાણી અને પંચમૃતથી અભિષેક કરો. લાલ ચુનરી, બંગડીઓ, લાલ ફૂલો, કુમકુમ, સિંદૂર વગેરે જેવી વસ્તુઓ અર્પણ કરો. મોસમી ફળો, નાળિયેર, મીઠાઈઓનો ભોગ લગાવો. દેવી મંત્રોનો જાપ કરો અને ધ્યાન કરો.

'દું દુર્ગાયે નમઃ' મંત્રનો જાપ કરી શકે છે. રૂદ્રાક્ષની માળાની મદદથી મંત્રનો જાપ કરો. પૂજા કરનાર ભક્તે સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું પડશે.જાપ કરવા માટે એક સ્થળ પસંદ કરો, જ્યાં શાંતિ અને શુદ્ધતા હોય.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow