એગ ફ્રીઝિંગ કરનારી મહિલાઓ વધી, પરંતુ લગ્ન બાદ ઉપયોગ કરી શકશે

એગ ફ્રીઝિંગ કરનારી મહિલાઓ વધી, પરંતુ લગ્ન બાદ ઉપયોગ કરી શકશે

નેશનલ તાઇવાન યુનિવર્સિટી હોસ્પિટલના એક અભ્યાસ મુજબ છેલ્લાં ત્રણ વર્ષમાં તાઇવાનમાં એગ ફ્રીઝિંગ કરવાની માંગણી વધી છે. તેમાં 35થી 39 વર્ષની મહિલાઓની સંખ્યામાં 86 ટકાનો વધારો થયો છે. તાઇવાનની પ્રથમ એગ બેન્કના સ્થાપક ડાૅ. લાઇ હિસંગ હુઆએ કહ્યું છે કે 2022માં એગ ફ્રીઝિંગ કરનાર એક ડઝન કરતાં વધારે કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે. તાઇપેઇમાં જ દર વર્ષે એગ ફ્રીઝ કરાવી રહેલી મહિલાઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે.

ભલે તાઇવાનમાં એકલી મહિલાઓ એગ ફ્રીઝ કરાવી શકે છે પરંતુ કાયદાકીય રીતે તે એગનો ઉપયોગ લગ્ન બાદ જ કરી શકે છે. તેમાં સમાન લિંગવાળી પરિણીત જોડી સામેલ છે. આ કાયદાકીય પ્રતિબંધ હોવાના કારણે માત્ર આઠ ટકા મહિલાઓ જ એગ ફ્રીઝ કર્યા બાદ માતા બનવા માટે તેનો ઉપયોગ કરી રહી છે. જ્યારે અમેરિકામાં આ દર આશરે 38 ટકા છે. ભલે તાઇવાન 2019માં સજાતીય લગ્નને કાયદેસર બનાવનાર એશિયન દેશ છે પરંતુ સમસ્યા અકબંધ રહી છે.

આ વર્ષે મેમાં સજાતીય જોડીને એક બાળક દત્ત લેવા માટેનો અધિકાર પણ આપવામાં આવ્યો હતો. જોકે તાઇવાનમાં માત્ર ચાર ટકા બાળકો લગ્ન વગર જન્મી રહ્યાં છે. આવી સ્થિતિમાં તાઇવાન રિપ્રોડક્ટિવ એસોસિયેશન અને સરકારની વચ્ચે થયેલી વાતચીતમાં ફ્રીઝ્ડ એગના ઉપયોગ કરવાની નીતિમાં ફેરફાર કરવા માટેની સંભાવના છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow