પતિએ ઝેર પીધા બાદ મહિલાનો પુત્ર સાથે આપઘાતનો પ્રયાસ

પતિએ ઝેર પીધા બાદ મહિલાનો પુત્ર સાથે આપઘાતનો પ્રયાસ

મવડી રોડ પરના વિશ્વનગર આવાસ ક્વાટર્સમાં પિતાના ઘરે રહેતી રિંકુબેન મનોજ ગોહેલે (ઉ.વ.25) તેના બે વર્ષના પુત્ર દેત્રોજને ઝેરી દવા પીવડાવી પોતે પણ વખ ઘોળી લેતા બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ઘટનાની જાણ થતાં માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.

રિંકુબેને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોતે લાપાસરીમાં તેના પતિ મનોજ ગોહેલ અને બાળક સાથે રહે છે, લાપાસરીમાં પાડોશમાં રહેતી મુની રંગપરિયા કેટલાક દિવસથી મનોજ ગોહેલને ધમકાવતી હતી કે તેને મુનીની 14 વર્ષની પુત્રી સાથે પ્રેમસંબંધ છે અને આ મામલે પોલીસ ફરિયાદ કરી તેને ફસાવી દેશે, જો ફરિયાદ કરવી ન હોય તો રૂ.50 હજાર આપવા પડશે, મુની બ્લેકમેઇલ કરતી હોવાથી કંટાળીને ગુરૂવારે મનોજ દાનસંગ વાળાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો, મનોજ હોસ્પિટલમાંથી નાસી જતાં મુની રંગપરિયા કોઇ અન્ય વ્યક્તિને લઇને રીંકુબેનના પિયર પહોંચ્યા હતા અને તારો પતિ હોસ્પિટલમાંથી ભાગી ગયો છે હવે તારે રૂ. 50 હજાર આપવા પડશે તેમ કહી ધમકાવતાં રીંકુબેને પુત્રને ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લીધી હતી, દવા પીતી વખતે રીંકુબેને તેનું વીડિયો શુટિંગ પણ કર્યું હતું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow