શું લગ્ન પછી રાહુલનું કરિયર ચમકશે!

શું લગ્ન પછી રાહુલનું કરિયર ચમકશે!

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી સાથે 23 જાન્યુઆરીએ લગ્નમા બંધનમાં બંધાશે. આ માટે તેણે ન્યૂઝીલેન્ડ સામેની વનડે અને T20 સિરીઝમાંથી બ્રેક લઈ લીધો છે. લગ્ન બાદ તે ફરીથી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ થશે.

જ્યારે તે ફરીથી ક્રિકેટના મેદાનમાં ઉતરશે ત્યારે તેનું પ્રદર્શન સારું રહેશે કે ખરાબ?
આનો સચોટ જવાબ તો સમય આવતા જ ખબર પડશે. જો કે હાલમાં તો આપણે જોઈ શકીએ છીએ કે ભારતીય ટીમમાં રાહુલ સાથે રમનારા સ્ટાર ખેલાડીઓની કારકિર્દી પર લગ્નની શું અસર પડી હતી. આ માટે અમે ત્રણ નામ શોર્ટલિસ્ટ કર્યા છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની.

આ ખેલાડીઓની લગ્ન પહેલા અને લગ્ન પછી પણ સારી કારકિર્દી રહી હતી. અંગત જીવન પર સિંગલમાંથી મેરિડ થયા બાદની સ્થિતિની અસર જાણવા માટે, અમે લગ્ન પહેલાંના બે વર્ષની આ ખેલાડીઓની કારકિર્દીની લગ્ન પછીની બે વર્ષની કારકિર્દી સાથે સરખામણી કરીને જોઈશું.

સૌથી પહેલા રાહુલના લગ્ન સાથે જોડાયેલી આ મહત્વપૂર્ણ માહિતી
કેએલ રાહુલ બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી સાથે 23 જાન્યુઆરીએ લગ્ન કરશે. અથિયા દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી છે. બંને સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં લગ્નના બંધનમાં બંધાશે. બંનેના પ્રી-વેડિંગ ફંક્શન 21 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે. તેમના લગ્નમાં પરિવારના કેટલાક સભ્યો અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow