કપાળ પર જ કેમ કરવામાં આવે છે તિલક? જાણો તેના સાથે જોડાયેલા નિયમ અને અચુક ઉપાય

કપાળ પર જ કેમ કરવામાં આવે છે તિલક? જાણો તેના સાથે જોડાયેલા નિયમ અને અચુક ઉપાય

સનાતન પરંપરામાં દેવી-દેવતાઓની પૂજામાં વપરાતા તિલકનું ધાર્મિક મહત્વ ઘણું છે. ભગવાનની પૂજાનું અભિન્ન અંગ ગણાતા તિલકનો ઉપયોગ અલગ-અલગ દેવી-દેવતાઓ માટે અલગ-અલગ રીતે કરવામાં આવે છે. જેમ ભગવાન શિવ માટે ભસ્મનું તિલક કરવામાં આવે છે તેમ ભગવાન વિષ્ણુ માટે પીળા ચંદનનું તિલક વપરાય છે.

દેવી-દેવતાઓના શણગાર માટે વપરાતા તિલકને ભગવાનનો મહાપ્રસાદ પણ માનવામાં આવે છે. આવો જાણીએ પૂજામાં ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના તિલકના ધાર્મિક મહત્વ અને તેનાથી સંબંધિત ચોક્કસ ઉપાય વિશે.‌

તિલક લગાવવાનો નિયમ
પવિત્ર તિલક જેને ભગવાનનો આશીર્વાદ માનવામાં આવે છે. તે હંમેશા સ્નાન અને ધ્યાન કર્યા પછી ઉત્તર દિશા તરફ મુખ કરીને બંને ભ્રમર એટલે કે આજ્ઞા ચક્ર પર લગાવવું જોઈએ. ભગવાનને અનામિકા આંગળીથી તિલક લગાવવું જોઈએ. જ્યારે સ્વયંને મધ્ય આંગળી અથવા અંગૂઠાથી તિલક લગાવવું જોઈએ.

પૂજામાં તિલક લગાવવાથી થતા લાભ
ભગવાનની પૂજામાં તિલકને ભગવાનનો પ્રસાદ માનવામાં આવે છે. જેને માથા પર લગાવવાથી ન માત્ર દૈવી કૃપા જળવાઈ રહે છે પરંતુ તેની શુભ અસરથી વ્યક્તિનું મન શાંત રહે છે. આજ્ઞા ચક્ર પર લગાવવામાં આવેલ તિલક તમારા મનને માત્ર શાંત જ નથી રાખતું પણ તમને સકારાત્મક ઉર્જા પણ આપે છે.

આ જ કારણ છે કે હિંદુ ધર્મ સાથે સંકળાયેલા શૈવ, વૈષ્ણવ અને શાક્ત પરંપરા સાથે જોડાયેલા તમામ લોકો પૂજા દરમિયાન ખૂબ જ આસ્થા અને વિશ્વાસની સાથે તેને ધારણ કરે છે. પૂજામાં વપરાતું તિલક માત્ર કપાળ પર જ નહીં પરંતુ માથા, ગરદન, બંને હાથ, હૃદય, નાભિ, પીઠ વગેરે પર પણ લગાવવામાં આવે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow