ભોજનમાં કેમ નાંખવામાં આવે છે મીઠો લીમડો?: ડાયાબિટીસથી લઈ સ્કીન કેર સુધી, મળે છે આ 5 ફાયદા

ભોજનમાં કેમ નાંખવામાં આવે છે મીઠો લીમડો?: ડાયાબિટીસથી લઈ સ્કીન કેર સુધી, મળે છે આ 5 ફાયદા

મીઠો લીમડો અનેક સમસ્યાને દૂર કરી શકે

મીઠા લીમડાનો અનેક ભારતીય ડિશમાં સામેલ કરી શકાય છે. મીઠો લીમડાને દાળ, ઉપમા, ઉત્તપમ, પકોડા, ચા, ઉકાળો, ફેસ માસ્ક, હેર માસ્ક અને ઘણી રીતે ઉપયોગમાં લઇ શકાય છે.  

મીઠા લીમડામાં વિટામિન એ, વિટામિન બી, સી, બી2, કેલ્શિયમ અને આયરનની સારી માત્રા હોય છે. જાણો શરીર, સ્કિન અને વાળની સમસ્યાને દૂર કરવામાં મીઠો લીમડો કામ આવે છે અને તેનો ઉપયોગ કેવીરીતે કરી શકાય છે.

મીઠા લીમડાના ફાયદા અને ઉપયોગની રીત

સારા પાચન માટે

અપચો, એસિડિટી અને પેટની અન્ય સમસ્યાને દૂર કરવા માટે મીઠા લીમડાનુ સેવન કરી શકાય છે.  

જેનુ સારી રીતે સેવન કરવા માટે ભૂખ્યા પેટ મીઠો લીમડો ચાવી શકો છો અથવા પછી મીઠા લીમડાને પાણીમાં ઉકાળીને અને ગાળીને આ પાણીને પી શકો છો.

વજન ઘટાડવામાં મળે છે મદદ

મીઠા લીમડો કોલેસ્ટ્રોલ y6ને ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી ફેટ બર્ન થતા શરીરનુ વજન ઘટાડવામાં પણ સહાયતા મળે છે. સૌથી સારી રીત છે કે તમે મીઠા લીમડાને ભોજનમાં એડ કરો. સુકો અથવા તાજો મીઠો લીમડો સલાડ, સૂપ, શાકભાજી અને ડિટૉક્સ વોટરમાં ઉપયોગ કરી શકાય છે.

ડાયાબિટીસ માટે

મીઠા લીમડાના સેવનથી બ્લડ ગ્લૂકોઝ લેવલ ઘટવા લાગે છે. જેની સાથે ઈન્સુલિન પ્રોડ્યુસિંગ સેલ્સ પ્રોટેક્ટ થાય છે અને ફ્રી રેડિકલ્સથી થતા ડેમેજને પણ મીઠો લીમડો રોકે છે. ડાયાબિટીસના દર્દી મીઠો લીમડો ચાવી અથવા તેનો રસ પી શકે છે.

વાળના ગ્રોથ માટે

ખરતા વાળથી પરેશાન છો તો વાળના ગ્રોથ માટે મીઠા લીમડાનો ઉપયોગ કરો. ડેન્ડ્રફ દૂર કરવા માટે ફ્લેકી સ્કેલ્પથી છૂટકારો મેળવવા માટે મીઠો લીમડો ફાયદાકારક છે. મીઠા લીમડાને પીસીને વાળ પર હેર માસ્કની જેમ લગાવી શકાય છે. આ ઉપરાંત મીઠા લીમડાને સુકવીને પાઉડર બનાવીને પણ લગાવવો સારો રહે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow