દરરોજ કેમ પીવુ જોઈએ કારેલાનુ પાણી? ફાયદા જાણી આ કડવી વસ્તુ પણ સારી લાગશે

દરરોજ કેમ પીવુ જોઈએ કારેલાનુ પાણી? ફાયદા જાણી આ કડવી વસ્તુ પણ સારી લાગશે

કારેલા ન ગમતા હોય તો કરી લેજો તેની સાથે મિત્રતા

કારેલાનુ નામ સાંભળતા જ ઘણા લોકોનુ મન કડવુ થાય છે, કારણકે તેનો સ્વાદ દરેક વ્યક્તિને પસંદ આવતો નથી.  

પરંતુ આ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જેમાં ઘણા પ્રકારના એન્ટીઑક્સિડેન્ટ હોય છે, જે તમારા શરીરને અનેક બિમારીઓથી બચાવે છે. ભલે તમે કારેલાને જોવાનુ પસંદ ના કરતા હોય,

પરંતુ જો તેના ફાયદા વિશે જાણી લેશો તો કદાચ ના કહેવાની હિંમત નહીં કરો. આવો જાણીએ આ તમારા માટે કઈ રીતે ગુણકારી થઇ શકે છે.

કારેલાનુ પાણી પીવાના ફાયદા

સ્કિન

જો તમે કારેલાનુ પાણી નિયમિત પીશો તો સ્કિનની પરેશાનીઓમાંથી મુક્તિ મળી જશે. ખરેખર તેમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીજ હોય છે, જે ખીલ-ડાઘ, સ્કિન ઈન્ફેક્શનથી તમને બચાવે છે.

ડાયાબિટીસ

જે લોકો સવાર-સાંજ કારેલાનુ પાણી પીવે છે તેમનુ બ્લડ શુગર લેવલ મેન્ટેન રહે છે, કારણકે આ શાકભાજીમાં રહેલા એન્ટીઑક્સિડેન્ટ પેનક્રિયાજ ફંક્શનને સારું કરે છે.

 

આ સિવાય મેટાબૉલિજ્મ બુસ્ટ થાય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી છે.

ડાઈજેશન

કારેલાનુ પાણી પીવુ પેટ માટે ગુણકારી હોય છે, કારણકે તેમાં ફોસ્ફોરસની ભરપૂર માત્રા હોય છે, જેનાથી ડાઈજેશન સારું રહે છે અને કબજીયાતની સમસ્યા દૂર થાય છે.

કેવીરીતે બનાવશો કારેલાનુ પાણી?

કારેલાના પાણીને તૈયાર કરવા માટે બે મોટા આકારના કારેલા લો અને તેને બંને તરફથી અડધુ કાપી નાખો. હવે તેને ગેસ પર પાણીમાં ઉકાળી લો. જેને ગેસ પરથી ઉતાર્યા બાદ ઠંડુ થાય ત્યાં સુધી રાહ જોવો.

ઠંડુ થયા બાદ આ પાણીને ગાળી લો અને તેમાં સ્વાદ મુજબ મીઠુ મિલાવી દો. હવે આ પાણીને સ્ટોર કરીને સવાર-સાંજ પીવો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow