દિવસમાં 10 મિનિટ માટે મહિલાઓ માટે કેમ બંધ થાય છે મહાકાલના દર્શન? જાણો શું છે લોકોની માન્યતા

દિવસમાં 10 મિનિટ માટે મહિલાઓ માટે કેમ બંધ થાય છે મહાકાલના દર્શન? જાણો શું છે લોકોની માન્યતા

મધ્ય પ્રદેશની ધાર્મિક રાજધાની ઉજ્જૈનના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિર વિશે આપણે બધાએ સાંભળ્યું જ હશે અને આ મંદિર અનેક કારણોસર ચર્ચામાં રહે છે. હાલમાં જ એ મંદિરમાં ભવ્ય મહાકાલ લોક કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું એ વિશે પણ અઆપણે બધા જાણીએ જ છીએ. ઘણા એવા મંદિર વિશે તમે સાંભળ્યું હશે કે જ્યાં મહિલાઓને પ્રવેશ આપવામાં નથી આવાતો પણ મહાકાલ મંદિરમાં આવું નથી. આ મંદિરમાં મહિલાઓ આરામથી પ્રવેશ આપવામાં આવે છે અને તમને જાણીને નવાઈ લાગશે કે અહીં મહિલાઓને 10 મિનિટ માટે બાબાના દર્શન કરવાની મંજૂરી નથી આપવામાં આવતી. જો કે તેની પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે અને આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શિવ કરે છે શંકરનું રૂપ ધારણ
મહાકાલ મંદિરના પંડિતએ આ વિશે જણાવતા કહ્યું હતું કે 'અહીં ભગવાન મહાકાલ શિવ સ્વરૂપમાંથી શંકરના રૂપમાં પ્રવેશ કરે છે એટલે કે નિરાકારમાંથી સ્વરૂપમાં આવે છે અને આ દરમિયાન ભગવાનને ભસ્મ અર્પણ કરવામાં આવે છે. એવા સમયે સ્ત્રીઓ ભગવાનના અભ્યંગ સ્નાનની મુલાકાત લેતી નથી અને જે રીતે વસ્ત્રો બદલવામાં આવે છે તેવી જ રીતે ભગવાન મહાકાલ નિરાકારમાંથી ભૌતિક સ્વરૂપમાં આવે છે અને આ દરમિયાન મહિલાઓને થોડી મિનિટો સુધી દર્શન નથી કરવા દેવામાં આવતા.

12 જયોર્તિલિંગમાંથી ફક્ત અહિયાં જ ચઢવાય છે ભસ્મ
જણાવી દઈએ કે ભગવાન મહાકાલેશ્વરનું સ્થાન 12 જ્યોતિર્લિંગમાં ત્રીજું સ્થાન માનવામાં આવે છે. માન્યતા અનુસાર ભગવાન મહાકાલને બ્રહ્માંડના રાજા પણ માનવામાં આવે છે. એટલા માટે જ આ મંદિરમાં દરરોજ સવારે રાજાધિરાજ ભગવાન મહાકાલને ભસ્મ અર્પણ કરવામાં આવે છે. જણાવી દઈએ કે સવારે પહેલા ભસ્મ આરતી કરવામાં આવે છે એ પછી ભોગ આરતી, સંધ્યા આરતી અને શયન આરતી પછી ભગવાન મહાકાલના દરવાજા બંધ કરવામાં આવે છે. આ મંદિરમાં ભક્તો દરરોજ સવારે 4:00 થી 11:00 વાગ્યા સુધી ભગવાન મહાકાલના દર્શન કરે છે અને આ દરમિયાન મહિલાઓને માત્ર 10 મિનિટ સુધી દર્શન ન કરવા કહેવામાં આવે છે.

મહાકાલની ભસ્મ આરતી
એવું કહેવામાં આવે છે કે મહાકાલની ભસ્મ આરતી માટે પીપળ, અમલતાસ, પલાશ, ખરાબ, શમી અને બૈરના વૃક્ષોના લાકડા અને ટોચને એકસાથે બાળવામાં આવે છે અને આ સમયે મંત્રોનો જાપ પણ કરવામાં આવે છે. એ પછી તેને કપડાથી ગાળીને તેની સાથે બાબાનો શૃંગાર કરવામાં આવે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow