છોકરીઓ પગમાં કેમ પહેરે છે ચાંદીની પાયલ? ધાર્મિક સાથે વૈજ્ઞાનિક કારણ પણ જાણી લો

છોકરીઓ પગમાં કેમ પહેરે છે ચાંદીની પાયલ? ધાર્મિક સાથે વૈજ્ઞાનિક કારણ પણ જાણી લો

ચાંદીને સમૃદ્ધીનુ મનાય છે પ્રતિક

ભારતીય પ્રાચીન જ્યોતિષીઓ મુજબ ચાંદીનો સંબંધ ચંદ્રમા સાથે છે. એવુ માનવામાં આવે છે કે ભગવાન શિવની આંખોમાંથી ચાંદીની ઉત્પત્તિ થઇ હતી. જેના કારણે ચાંદીને સમૃદ્ધીનુ પ્રતિક માનવામાં આવે છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં ચાંદીના પાયલનુ ખાસ મહત્વ છે. પરંતુ ઈજિપ્ત અને મધ્ય પૂર્વ દેશોમાં તેને આરોગ્ય સાથે જોડવામાં આવે છે. આ દેશોમાં એવી માન્યતા છે કે પાયલ પહેરવાથી શારીરીક અને માનસિક આરોગ્ય પર સકારાત્મક અસર થાય છે અને તેના માટે તેઓ કારણ પણ જણાવે છે. તમે પણ જાણો કે ચાંદીની પાયલ પહેરવાથી તમારા હેલ્થને કેવીરીતે ફાયદો થાય છે.

શરીરમાંથી નિકળતી નથી એનર્જી

ચાંદી એક પ્રતિક્રિયાશીલ ધાતુ છે અને આ કોઈના શરીરમાંથી નિકળતી ઉર્જાને પાછી શરીરમાં ધકેલી દે છે. તમારી મોટાભાગની એનર્જી હાથ અને પગથી તમારા શરીરને છોડી દે છે અને ચાંદી, કાંસા જેવી ધાતુઓ એક અડચણ રૂપે કાર્ય કરે છે, જેનાથી ઉર્જાને તમારા શરીરમાં પાછી લાવવામાં મદદ મળે છે. એટલેકે ચાંદીની વીંટી, પગમાં પહેરવામાં આવતી રિંગ અને પાયલ તમારી ઉર્જાને બહાર નિકળવા દેતી નથી. તેથી પાયલ પહેરવાથી વધુ ઉર્જાવાન અને વધુ સકારાત્મકતા અનુભવાય છે.

આખરે સોનાની પાયલ કેમ પહેરવામાં આવતી નથી?

આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન મુજબ ચાંદી પૃથ્વીની ઉર્જાની સાથે સારી રીતે પ્રતિક્રિયા કરે છે, જ્યારે સોનુ શરીરની ઉર્જા અને આભાની સાથે સારી રીતે પ્રતિક્રિયા કરે છે. તેથી ચાંદીની પાયલ અને પગની આંગળીમાં પહેરવામાં આવતી રિંગ તરીકે પહેરવામાં આવે છે. જ્યારે સોનાનો ઉપયોગ શરીરના ઉપરના ભાગને સજાવવા માટે કરવામાં આવે છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow