સિરપે બાળકોનો જીવ લીધો:ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની પણ જરૂર નથી, ત્યાં ઘાતક દવાઓ બની રહી છે; આટલું થયા છતાં કોઈ પ્રતિબંધ નહીં

સિરપે બાળકોનો જીવ લીધો:ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની પણ જરૂર નથી, ત્યાં ઘાતક દવાઓ બની રહી છે; આટલું થયા છતાં કોઈ પ્રતિબંધ નહીં

ભારતીય કંપનીઓનાં કફ-સિરપ પીવાથી ગામ્બિયામાં 66 બાળકનાં મોત થયાં છે. આટલું જ નહીં, આ પ્રકારના કફ-સિરપ ભારતમાં પણ 33 બાળક માટે જીવલેણ સાબિત થયાં છે, પરંતુ એની પર કોઈએ પ્રતિબંધ લગાવ્યો નથી. ભારતીય બજારોમાં હજુ એ વેચાય છે કે નહીં એની કોઈ જાણ નથી.

WHOના એલર્ટ પછી આ કંપનીઓ પર દરોડા મારવામાં આવી રહ્યા છે. બાળકોના કફ-સિરપમાં ડાયથિલીન ગ્લાયકોલ અને ઇથિલીન ગ્લાયકોલ ઉમેરવામાં આવે છે, જેનાથી કફ-સિરપનો સ્વાદ મીઠો બની જાય છે. જો આ બે સંયોજનની માત્રા વધુ હોય તો એ જીવલેણ બની જાય છે. ગામ્બિયામાં આ જ બન્યું. સિરપ અને કંપનીઓને છોડો આ સંયાજનોના મિશ્રણ પર પણ પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો. આપણા દેશમાં જાણે મોટી દુર્ઘટના થયા પછી જાગવાનો રિવાજ છે.

જ્યાં સુધી ડ્રગ કંટ્રોલર્સના નેટવર્કની વાત છે કે જેઓ આવી દવાઓને મંજૂરી આપે છે અથવા નામંજૂર કરે છે, એ જાણીતું છે કે તેમનું નેટવર્ક કેટલું મજબૂત છે. જ્યાં અને ત્યાં જંગલી ઘાસની જેમ ઊગતાં દવાનાં કારખાનાંની તપાસ કેવી રીતે કરતા હશે, એ કફ-સિરપના કારણે બાળકોનાં થયેલાં મોતથી જાણી શકાય.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow