કઇ TEA આપની માટે સૌથી બેસ્ટ? જુઓ કઇ રીતે હાઇ બીપી-લૉ બીપી દર્દીને ચા થશે મદદરૂપ

કઇ TEA આપની માટે સૌથી બેસ્ટ? જુઓ કઇ રીતે હાઇ બીપી-લૉ બીપી દર્દીને ચા થશે મદદરૂપ

ભારતીયો માટે ચા ના માત્ર બે રૂપ

માત્ર આપણા દેશની વાત કરીએ તો ચા કેટલાય પ્રકારની હોય છે. પરંતુ દરરોજના જીવનમાં આપણે ભારતીયો માટે ચા ના માત્ર બે રૂપ હોય છે. એક દૂધ વાળી ચા અને બીજી દૂધ વગરની ચા. જે દૂધ વાળી ચા હોય છે, તેમાં આપણે લીલી ઈલાયચી, ખાંડ, આદુ, તુલસીના પાન, લવિંગ જેવી ખાદ્ય સામગ્રીઓ નાખીને ફ્લેવર બદલતા રહીએ છીએ. બાકી જે દૂધ વગરની ચા હોય છે, તેમાં બ્લેક ટીથી લઇને આખા જમાનાની હર્બલ ટીનો સમાવેશ થાય છે.

કઈ ચા પીવાથી બીપી જતુ રહે છે?

યોગ્ય ચા પીવાથી નિશ્ચિત રીતે બ્લડ પ્રેશરને મેન્ટેન રાખવામાં લાભ થાય છે. યોગ્ય ચા નો અર્થ છે કે ચા પસંદ કરતા પહેલા એ જોવુ જરૂરી છે કે તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે અથવા બીપી લો રહેવાની સમસ્યા છે. કારણકે બંને બ્લડ પ્રેશરમાં અલગ પ્રકારની ચા લાભ પહોંચાડે છે. જ્યારે ખોટા સમયે ખોટી ચા પીવાથી સ્થિતિ વધુ ગંભીર થઇ શકે છે. આવો જાણીએ ક્યારે કઈ ચા પીવી જોઈએ?

‌                                                            હાઈ બીપી રહેતુ હોય તો પીવો આ ચા

બ્લડ પ્રેશર જો હાઈ રહે છે તો તમારે દૂધ વગરની ચા પીવી જોઈએ. કારણકે દૂધ વાળી ચા, જે લગભગ દરેક ભારતીયના ઘરમાં હોય છે. જેને પીવાથી બીપી વધી શકે છે. હાઈ બીપીમાં તમે માત્ર હર્બલ-ટી પીવો. જેમકે ગુડહલના ફૂલમાંથી બનાવેલી ચા‌‌ગ્રીન ટી, જીરા-ટી‌‌જીરુ-ધાણા અને વરિયાળીમાંથી તૈયાર કરેલી ચા‌‌વરિયાળી અને લીલી ઈલાયચીમાંથી બનાવેલી ચા

કારણકે બ્લેક-ટી અને અન્ય હર્બ્સમાંથી તૈયાર હર્બલ-ટીમાં એન્ટિઑક્સિડેન્ટ્સ વધુ માત્રામાં હોય છે. આ હાઈ બીપી અને કોલેસ્ટ્રોલની માત્રાને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેનાથી બ્લડ પ્રેશર આપોઆપ ઘટવા લાગે છે. પરંતુ જ્યારે તમે ચામાં દૂધ મિક્સ કરો છો તો આ એન્ટીઑક્સિડેન્ટ્સની એક્ટિવિટીમાં મુશ્કેલી આવે છે અને બ્લડ પ્રેશર હાઈ રહી શકે છે.

લો બીપીમાં કઈ ચા પીવી જોઈએ?

જો તમારું બ્લડ પ્રેશર લો રહે છે તો તમારે દૂધ વાળી ચાનુ સેવન કરવુ જોઈએ. શિયાળાની સિઝનમાં ખાસ કરીને તુલસીના પાન અને આદુ નાખો. જ્યારે ગરમીમાં લીલી ઈલાયચી અને લવિંગ નાખો. જો આ વસ્તુઓ તમારી પાસે ઉપલબ્ધ ના હોય તો તમે સાદા દૂધની ચા બનાવીને પણ પી શકો છો.

દૂધમાંથી તૈયાર કરેલી ચા પીવાથી કોલેસ્ટ્રોલ અને સૈચુરેટેડ ફેટમાં વધારો થઇ શકે છે, જેનાથી ધમનીઓમાં સંકોચન થાય છે અને બ્લડ ફ્લોને વધારવામાં મદદ મળે છે. બોલવાની ભાષામાં તમે તેને આ રીતે સમજી શકો છો કે જ્યારે લૂઝ પડેલી નસોમાં સજ્જડતા આવી જાય તો બ્લડ આપોઆપ ઝડપથી વહેવા લાગશે. જેનાથી બીપી ઓછુ થવાની સમસ્યા દૂર કરવામાં મદદ મળશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow