નવા વર્ષમાં ક્યારે મનાવવામાં આવશે મકર સંક્રાંતિ, 14 કે 15 જાન્યુઆરીએ?

નવા વર્ષમાં ક્યારે મનાવવામાં આવશે મકર સંક્રાંતિ, 14 કે 15 જાન્યુઆરીએ?

મકર સંક્રાંતિ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર

પંચાગ મુજબ મકર સંક્રાંતિનુ પર્વ પોષ મહિનાના શુક્લ પક્ષના 12મા દિવસે મનાવવામાં આવે છે. મકર સંક્રાંતિ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. જેને દેશભરમાં અલગ-અલગ નામોની સાથે મનાવવામાં આવે છે. મકર સંક્રાંતિને લોહડા, ઉત્તરાયણ, ખિચડી, ટહરી, પોંગલ વગેરે જેવા નામોથી પણ જાણવામાં આવે છે. આ દિવસે સ્નાન, દાન પૂજા-પાઠ અને તલ ખાવાની પરંપરા છે. મકર સંક્રાંતિના દિવસે ગ્રહોના રાજા સૂર્ય ધન રાશિમાંથી નિકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે.

મકર સંક્રાંતિની સાચી તિથિ ક્યારે છે?

આમ તો મકર સંક્રાંતિનુ પર્વ દરેક વર્ષે 14 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. પરંતુ 2023માં મકર સંક્રાંતિની તારીખને લઇને લોકો વચ્ચે અસમંજસની સ્થિતિ છે. કેટલાંક વિદ્વાનોનો મત છે કે 2023માં મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી હશે તો કેટલાંક લોકોનુ કહેવુ છે કે મકર સંક્રાંતિ 15 જાન્યુઆરીએ મનાવવામાં આવશે. જાણો વર્ષ 2023માં કયારે છે મકર સંક્રાંતિની સાચી તિથિ.

મકર સંક્રાંતિ તિથિ અને શુભ મુહૂર્ત

પંચાગ મુજબ, વર્ષ 2023માં મકર સંક્રાંતિની ઉદય તિથિ મુજબ રવિવારે 15 જાન્યુઆરીએ મનાવવામાં આવશે. કારણકે સૂર્ય શનિવારે 14 જાન્યુઆરીએ રાત્રે 8.21 વાગ્યે ધન રાશિમાંથી નિકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર સંક્રાંતિનો પુણ્ય કાળ મુહૂર્ત 7.15 થી 12.30 સુધી રહેશે અને મહાપુણ્યકાળ મુહૂર્ત 7.15 થી 9.15 સુધી રહેશે.

મકર સંક્રાંતિના દિવસે કરો આ કાર્ય

  1. મકર સંક્રાંતિના દિવસે પાણીમાં તલ અને ગંગાજળ મિલાવીને સ્નાન કરવુ જોઈએ. જેનાથી કુંડળીમાં ગ્રહ-દોષ દૂર થાય છે.
  2. મકર સંક્રાંતિના દિવસે કાળા તલ, ગોળ, લાલ-ચંદન, લાલ ફૂલ અને અક્ષત મિશ્રણવાળા જળથી સૂર્યને પાણી ચઢાવવુ જોઈએ.
  3. મકર સંક્રાંતિના દિવસે દાન-પુણ્ય કરવાનુ પણ વિશેષ મહત્વ છે. આ દિવસે ગરીબોને દાન આપો.
  4. મકર સંક્રાંતિના દિવસે ગોળ અને તલ મિઠાઈ ખાવાની સાથે ખિચડી બનાવવાની અને ખાવાની પરંપરા છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow