પરિવાર અમદાવાદ જતાં ચોરોએ બંધ ઘરને નિશાન બનાવ્યું ,રૂા. 5.19 લાખની ચોરી

પરિવાર અમદાવાદ જતાં ચોરોએ બંધ ઘરને નિશાન બનાવ્યું ,રૂા. 5.19 લાખની ચોરી

મૂળ બાલાસિનોરના અને અમદાવાદ સીએની પ્રેકટીસ કરતા યુવકના બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી ખાતર પાડયુ હતુ.પરિવાર અમદાવાદ થી બાલાસિનોર લગ્નપ્રસંગમાં આવતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યુ હતુ. ઘરમાં તપાસ કરતા સોના,ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ 5.19 લાખની મત્તાની ચોરી થઇ હતી. બાલાસિનોર ફૈઝાને એ મદીના સોસાયટીમાં રહેતા ઇમરાન શેખ હાલ અમદાવાદ મુકામે અમદાવાદમાં સીએ તરીકે પ્રેક્ટિસ કરે છે.તા.29 ડિસેમ્બરના રોજ બપોરે મકાન બંધ કરી અમદાવાદ ગયા હતા.

દરમિયાન તા.30 ડિસેમ્બરના રોજ મિત્ર કારૂન મલેકનો ફોન આવ્યો હતો અને કહ્યું હતુ કે બાલાસિનોર વાળા ઘરે જમવાનું આમંત્રણ આપવા આવ્યો છુ પરંતુ ઘર બંધ છે માહીર મલેકના ત્યાં રાતના જમવા આવી જજો.આ બાદ તા.2 જાન્યુઆરીના રોજ ઇમરાન શેખ ભાઈ,બનેવી અને બહેન સાથે બાલાસિનોર આવ્યા હતા.

જ્યાં તેમનો ઘરનો મુખ્ય દરવાજો અને પાછળ આવેલ બીજો દરવાજો ખુલ્લો હતો તેથી શંકા જતાં ઘરના તમામ રૂમમાં તપાસ કરતા રૂમોમાં સામાન વેરવિખેર જણાયો હતો તેથી તપાસ કરતા તિજોરી અને કબાટમાં મૂકેલા સોના,ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂ 5,19,948 ની મત્તાની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યુ હતુ.આ સમગ્ર બનાવ અંગે બાલાસિનોર પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow