છેલ્લી ઘડીએ PM મોદીના મેગા-શૉનો અમદાવાદમાં ભાજપને કેટલો ફાયદો? સર્વેમાં જુઓ કોને કેટલી બેઠક

છેલ્લી ઘડીએ PM મોદીના મેગા-શૉનો અમદાવાદમાં ભાજપને કેટલો ફાયદો? સર્વેમાં જુઓ કોને કેટલી બેઠક

ગુજરાત વિધાનસભાની બે તબક્કાની ચૂંટણી પૂર્ણ થતા સૌ કોઈ 8 તારીખે થનાર મતગણતરીની રાહ જોઈને બેઠા છે. ત્યારે એગ્ઝિટ પોલમાં તો ભાજપ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે અને કોંગ્રેસ પણ વિરોધ પક્ષમાં બેસી શકે તેટલી બેઠકો તો મેળવી જ રહી છે અને આમ આદમી પાર્ટી જે પ્રમાણે દાવો કરી રહી છે તે મુજબ આપ વિરોધ પક્ષમાં બેસી શકે તેટલી સીટો પણ તેમને મળી શકી નથી. ત્યારે હવે 8 ડિસેમ્બરના રોજ યોજાનાર મતગણતરીની લોકો રાહ જોઈ રહ્યા છે. અમદાવાદની 21 બેઠકોનું VTVના એગ્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં ભાજપ બાજી મારે તેવી ધારણા મુકવામાં આવી છે. જેમાં ભાજપે ફાળે 16 બેઠકો આવશે. જ્યારે કોંગ્રેસને ફાળે 5 બેઠકો આવશે તેવી ધારણા મુકવામાં આવી છે.

વડાપ્રધાને સુરત બાદ અમદાવાદમાં સૌથી લાંબો રોડ શો કર્યા
અમદાવાદમાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય મેગા રોડ શો યોજ્યા હતા. અમદાવાદના નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તારમાં 38 કિમી લાંબો આ રોડ શો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પીએમ મોદીએ અમદાવાદમાં પહેલો રોડ શો કર્યો હતો. સૌથી લાંબા આ રોડ શોમાં અમદાવાદની 16 વિધાનસભા બેઠકો કવર કરવામાં આવી હતી. PM મોદીએ સુરતમાં પણ 30 કિમી લાંબો રોડ શો કર્યો હતો. પીએમ મોદીની લોકચાહના જોતાં હજારો લોકો આ રોડ શોમાં ઉમટી પડ્યા હતા. PM મોદી અમદાવાદ શહેરની 13 વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા એમ કુલ 14 વિધાનસભામાં રોડ શો કર્યા હતા. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કુલ 35 જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું.

PM મોદીની આ ઈચ્છા અધૂરી રહે તેવી શક્યતા
જોકે અહીં સૌથી મોટો સવાલ હવે એ ઊભો થઇ રહ્યો છે કે શું આ વખતના ચૂંટણી પરિણામમાં PM મોદીની ઇચ્છા પૂરી થશે. નોંધનીય છે કે ગુજરાતની ચૂંટણી માટે PM મોદીએ આ વખતે ધૂમ પ્રચાર કર્યો હતો. PM મોદીએ 38 જેટલી જનસભાઓ અને 100થી વધારે બેઠકો કવર કરી હતી તેમજ ત્રણ મોટા રોડ શો પણ કર્યા હતા. દરમ્યાન PM મોદીએ પોતે જ પ્રચાર મામલે કહ્યું હતું કે, 'તેઓ આટલી મહેનત કરી રહ્યાં છે કારણ કે તેમને આ વખતે રેકૉર્ડ તોડવો છે.' પીએમ મોદીએ કહ્યું હતું કે 'ભૂપેન્દ્ર નરેન્દ્રના રેકૉર્ડ તોડે તે માટે કામ કરવું છે.' પરંતુ VTV એગ્ઝિટ પોલના જે આંકડાઓ સામે આવી રહ્યાં છે તે જો સાચા પડે તો કદાચ PM મોદીનું આ સપનું અધૂરું પણ રહી શકે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow