એઆઇથી બનેલા ફોટો પર વૉટરમાર્ક જરૂરી

એઆઇથી બનેલા ફોટો પર વૉટરમાર્ક જરૂરી

બ્રિટન બુધવારથી 2 દિવસીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) પર દુનિયાની પહેલી એઆઇ સેફ્ટી સમિટની યજમાની કરશે. બ્રિટિશ પીએમ ઋષિ સુનકની પહેલ પર આયોજિત આ સંમેલનમાં ઇલોન મસ્ક સહિત 100થી વધુ પ્રતિનિધિ ભાગ લેશે. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને એક આદેશ જારી કર્યો છે, જેમાં એઆઇની મદદથી વિકસિત ફોટો, વીડિયો અને ઑડિયોને વોટરમાર્ક લગાવવાનું અનિવાર્ય કર્યું છે.

લંડનના સંમેલનનો હેતુ દેશો અને ટેક કંપનીઓ વચ્ચે એઆઇનાં જોખમો પર નજર રાખવા માટે સહમતિ સાધવાનો છે. સંમેલનમાં એઆઇના સૌથી એડવાન્સ વર્ઝન ‘ફ્રન્ટિયર એઆઇ’ પર નિયંત્રણની ચર્ચા થશે. એક વાર ફ્રન્ટિયર એઆઇના મૉડલના વિકસિત થયા બાદ તેમાં માનવીય હસ્તક્ષેપ ઓછો થઇ જાય છે. તેનાથી બાયો સિક્યોરિટી અને સાઈબર સિક્યોરિટીને ખતરો હોવાની આશંકા છે.

બાઇડેન સરકારનો આદેશ, એઆઇનો પ્રયોગ હથિયાર બનાવવામાં નહીં થાય
એઆઇને નિયંત્રિત કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને સોમવારે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. તે અંતર્ગત કંપનીઓએ એઆઇના રિસર્ચનાં પરિણામની જાણકારી અમેરિકન સરકારને આપવી પડશે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે એ સુનિશ્ચિત થશે કે એઆઇ પ્રોડક્ટનો ઉપયોગ જૈવિક અથવા પરમાણુ હથિયાર બનાવવામાં નહીં થાય. એઆઇ પ્રોડક્ટનું પરીક્ષણ પણ થશે, જેનાથી સુનિશ્ચિત થઇ શકે કે તેનો ઉપયોગ જૈવિક અથવા પરમાણુ હથિયાર બનાવવામાં ન થાય. પરીક્ષણનો રિપોર્ટ સરકારને અપાશે. કંપનીઓએ એઆઇ સિસ્ટમની ક્ષમતા, મર્યાદા, ઉપયોગ-દુરુપયોગ પર પણ રિપોર્ટ રજૂ કરવો પડશે તેમજ મજબૂત સુરક્ષા નિયંત્રણ માટેની સિસ્ટમ પણ વિકસિત કરવી પડશે. નવા નિયમો હેઠળ ક્લાઉડ સેવાઓ ઉપલબ્ધ કરાવતી કંપનીઓએ વિદેશી ગ્રાહકો અંગે પણ સરકારને જાણ કરવાની રહેશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow