શરદીની સિઝનમાં બીમારીથી બચવું છે? તો આજથી જ શરૂ કરો આ 5 ડ્રાયફ્રૂટ્સ, રહેશો હેલ્ધી અને ફિટ

શરદીની સિઝનમાં બીમારીથી બચવું છે? તો આજથી જ શરૂ કરો આ 5 ડ્રાયફ્રૂટ્સ, રહેશો હેલ્ધી અને ફિટ

હાલ શિયાળો શરૂ થઈ ગયો છે અને આ ઋતુમાં ખોરાકની કાળજી લેવી ખૂબ જ જરૂરી બને છે. ખોરાકની અને શરીરની કાળજી લેવા માટે શિયાળામાં લોકો પોતાના ડાયટમાં અલગ-અલગ પ્રકારની વાનગીઓનો પણ સમાવેશ કરે છે. એવામાં જો શિયાળામાં ડ્રાય ફ્રુટ્સને તમારા ડાઈટમાં શામેલ કરવામાં આવે તો એ મોઢામાં સ્વાદ વધારવાની સાથે સાથે શરીરને ફિટ રાખવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. શિયાળામાં ખાસ કરીને ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી શરીરમાં ઘણા ફાયદા જોવા મળે છે. એટલા માટે આજથી જ તમારા ડાઈટમાં આ 5 ડ્રાય ફ્રૂટ્સને ઉમેરી દો.

બદામ
બદામને ડ્રાયફ્રુટ્સનો રાજા કહેવામાં આવે તો તેમાં કઈં ખોટું નથી. જણાવી દઈએ કે બદામમાં ફેટી એસિડ, પ્રોટીન, ફાઈબર, ઝિંક, વિટામિન ઈ ભરપૂર માત્રામાં જોવા મળે છે અને આ સાથે બદામના સેવનથી રક્ત પરિભ્રમણ સારું રહે છે અને તેની સાથે હિમોગ્લોબિનનું સ્તર પણ સુધરે છે. ઉપરાંત બદામ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ બરાબર જળવાઈ રહે છે. જો ભૂખ લાગી હોય એવા સમયે થોડી માત્રામાં બદામ ખાવામાં આવે તો એ તમારા શરીરની ઉણપને પૂરી કરે છે. આ સાથે તેની ગરમ અસર શિયાળામાં શરીરને લાભ આપે છે.

કાજુ
કાજુ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યામાં ખૂબ જ અસરકારક હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે કાજુ શરીરના કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણમાં રાખે છે આ સાથે જ હાઈ બ્લડ પ્રેશરનું સ્તર પણ બરાબર રાખે છે. કાજુની અંદર પણ વિટામીન E ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચા માટે પણ ઘણું સારું કહેવાય છે. ઉપરાંત માઈગ્રેનના દુખાવામાં પણ કાજુ અસરકારક છે.

અખરોટ
શિયાળામાં અખરોટ ખાવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે હાઇ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ મદદરૂપ થાય છે. આ સાથે જ અખરોટનું સેવન ત્વચા અને વાળ માટે પણ ઘણું સારું છે.

અંજીર
અંજીર એક એવું ડ્રાય ફ્રુટ છે જેમાં દરેક જરૂરી વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર મળી રહે છે. જણાવી દઈએ કે અંજીરમાં વિટામીન A, B1, B12, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરીન, પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળે  છે. સાથે જ તેના સેવનથી બ્લડ સુગરને પણ નિયંત્રિત કરી શકાય છે.

પિસ્તા
કહેવાય છે કે પિસ્તામાં દરેક જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ તત્વો મળી આવે છે . પિસ્તાનું સેવન તમારી ત્વચાને હાનિકારક યુવી કિરણોથી બચાવે છે, જે તમારી ત્વચાને યુવાન રાખે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow