માત્ર ધોરણ 3 પાસ યુવાને બનાવ્યા ટ્રેન, બુલેટ સહિતના આબેહૂબ રિયલ મોડેલ

માત્ર ધોરણ 3 પાસ યુવાને બનાવ્યા ટ્રેન, બુલેટ સહિતના આબેહૂબ રિયલ મોડેલ

આવડત હોય તો કોઈપણ વ્યક્તિ વિશ્વના કોઈ ખૂણે પાછો પડતો નથી. કંઇક અલગ કરવાની નેમ સાથે રાજકોટમાં રહેતા એક વ્યક્તિએ કાર, બાઈક, ટ્રેનનું એન્જિન, ઇન્ડસ્ટ્રીના મશીનો વગેરેના આબેહૂબ રિયલ મોડેલ તૈયાર કર્યા છે. કોઈપણ જાતનો કોર્સ કે કોઈ પણ પ્રકારની તાલીમ વગર તેમણે માત્ર કોઠાસૂઝ- આવડતથી નવરાશના સમયમાં આ રિયલ મોડેલ તૈયાર કર્યા છે. જે ઇલેક્ટ્રિકથી ચાલુ પણ થાય છે. આ મોડેલનું પ્રદર્શન હાલ નેશનલ સાયન્સ ડે નિમિત્તે લોકવિજ્ઞાન કેન્દ્રમાં ખુલ્લું મુકાયું છે.  

મૂળ જૂનાગઢના સારંગપીપળી ગામના હાલ રાજકોટ રહેતા મુકેશભાઈ આસોડિયા માત્ર 3 ચોપડી ભણેલા છે. હાલ તેઓ રાજકોટમાં લુહારી ભઠ્ઠી કામ કરે છે. પરંતુ તેઓ પોતાના નવરાશના સમયમાં જુદા-જુદા ઉપકરણો બનાવે છે. સમય મળતા તેઓ પોતાની આગવી આવડતથી જુદા-જુદા ઉપકરણો બનાવ્યા છે. ટ્રેનના આબેહૂબ એન્જિન, બુલેટ, જીપ, ઇન્ડસ્ટ્રીઝને લગતા લેથ મશીન, સિમેન્ટ મિક્સર, વેલ્ડિંગ મશીન, ઘરઘંટી સહિતના 160 જેટલા ચાલુ રિયલ મોડેલ તેમણે બનાવ્યા છે.  

વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે, યંત્રો, ઉપકરણો, વાહનોના ભંગારમાંથી બનાવ્યા
તેમણે જણાવ્યું હતું કે, મેં જે યંત્રો, ઉપકરણો બનાવ્યા છે તે ઇલેક્ટ્રિકથી ચાલે છે. આ રિયલ મોડેલ બનાવવા માટે મેં ક્યાંય કોઈ ટ્રેનિંગ લીધી નથી, હું માત્ર મારી કોઠાસૂઝથી આ તમામ યંત્રો, વાહનો, મશીન બનાવું છું. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, આ બધું મેં વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે, યંત્રો, ઉપકરણો, વાહનોના ભંગારમાંથી બનાવ્યા છે.  

સમય મળ્યે ભંગારના વાડામાંથી ઉપકરણો બનાવવા માટેનો સામાન લેવા નીકળી પડું છું. યુવાનો પોતાનામાં રહેલી આવડત ઓળખી શકે અને તેઓ જાગૃત થાય તેમજ પરીક્ષામાં નાપાસ થવા કે નોકરી ન મળવા જેવી બાબતમાં નિરાશ ન થાય તે માટે હું પ્રદર્શન યોજીને યુવાનોને જાગૃત કરવાનો પ્રયાસ કરું છું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow