વિટામિન B12ની ઉણપ શરીરને બનાવી શકે છે અંદરથી નબળું, આ 5 લક્ષણ દેખાવા લાગે તો થઈ જાવ સાવધાન

વિટામિન B12ની ઉણપ શરીરને બનાવી શકે છે અંદરથી નબળું, આ 5 લક્ષણ દેખાવા લાગે તો થઈ જાવ સાવધાન

આપણાં શરીરમા વિટામિન B12 એક અગત્યનું વિટામિન છે જેને શરીર પોતે નથી બનાવી શકતું. આ વિટામિનના લીધે જ આપણાં શરીરના લાલ રક્ત કોષ અને ડીએનએ (DNA)ને બનવામાં મદદ મળે છે.  તેની સાથે જ, વિટામિન B12 નર્વ સિસ્ટમને પણ સારી રીતે કામ કરવામાં મદદરુપ થાય છે. જો શરીરમાં વિટામિન B12 ની ખામી થાય તો આપણું શરીર ઘણા રોગનું ઘર બની શકે છે. આથી જ વહેલી તકે આ ખામીના લક્ષણ જાણવા જરૂરી છે.

વિટામિન B12 ની ખામીના લક્ષણ

શ્વાસ ફુલાવો
વિટામિન B12 ની કમીના લીધે શ્વાસ ફૂલાવા લાગે છે. વધુ શારીરિક કામ કર્યું હોય અને આવું થાય તો સમજી પણ શકાય પણ કામ કર્યા વિના આવું થવા લાગે અથવા તો ઍક-બે સીડીઓ ચઢતાની સાથે જ આવું થવા લાગે તો સમજવું કે આ એક વિટામિન B12 ની ખામીનું લક્ષણ છે.

ઝાંખું દેખાવું
વિટામિન B12 ની કમીના લીધે આંખોની રોશનીને નુકશાન થઈ શકે છે. જેથી જોવામાં તકલીફ પડી શકે છે કે ઝાંખું-ઝાંખું દેખાવવા લાગે છે. એટલે કે જો કોઈ આવી સમસ્યા જણાઈ તો વહેલા ધોરણે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.

ચામડીનું પીળું પડવું  
જે લોકોના શરીરમાં વિટામિન B12 ની કમી હોય છે તેમના શરીરની ચામડી પીળી પડવા લાગે છે.પીળી પડતી ચામડી એ વાતનું સંકેત આપે છે કે શરીરમાં લાલ રક્ત કોષ ઓછા બની રહ્યા છે. જે વિટામિન B12 ની કમીના લીધે થાય છે.

થાક લાગવો
વિટામિન B12 ની કમીના લીધે શરીર કમજોર થવા લાગે છે. નાના એવા કામથી પણ થાક લાગવા લાગે છે. આવું લાલ રક્ત કોષ ઓચ્છા બનવાના અને રક્ત પ્રવાહ વ્યવસ્થિત રીતે ન થવાના લીધે થાય છે. આનાથી એનીમિયા પણ થઈ શકે છે.

માનસિક સ્થિતિ પર અસર પડે છે
જે વ્યક્તિના શરીરમાં વિટામિન B12 ની   કમી હોય છે તેમને માનસિક તકલીફો તથા તણાવ પણ જોવા મળે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow