વરુણ ચક્રવર્તીએ છેલ્લી ઓવરમાં 9 રન ડિફેન્ડ કર્યા

વરુણ ચક્રવર્તીએ છેલ્લી ઓવરમાં 9 રન ડિફેન્ડ કર્યા


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે લીગ તબક્કાની 47મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 રને હરાવ્યું હતું. SRHને છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી, આ ઓવરમાં વરુણ ચક્રવર્તીએ માત્ર 3 રન આપ્યા અને પોતાની ટીમને જીત અપાવી હતી. હૈદરાબાદ તરફથી છેલ્લી ઓવરમાં અબ્દુલ સમાદ અને ભુવનેશ્વર કુમાર બેટિંગ કરી રહ્યા હતા. વરુણે પ્રથમ બે બોલમાં બે રન આપ્યા પછી ત્રીજા બોલ પર સમાદને આઉટ કર્યો હતો. ચક્રવર્તીએ છેલ્લા 3 બોલમાં માત્ર એક રન આપ્યો હતો.

હૈદરાબાદને મળેલા 172 રનના ટાર્ગેટની સામે તેઓ 20 ઓવરમાં 8 વિકેટે 166 રન જ બનાવી શક્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ એડન માર્કરમે 40 બોલમાં 41 રન બનાવ્યા હતા. જ્યારે હેનરિક ક્લાસેને 20 બોલમાં 36 રન કર્યા હતા. કોલકાતા તરફથી સૌથી વધુ શાર્દૂલ ઠાકુર અને વૈભવ અરોરાને 2-2 વિકેટ મળી હતી. તો વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, અનુકુલ રોય અને આન્દ્રે રસેલે 1-1 વિકેટ લીધી હતી.

ક્લાસેન-માર્કરમ વચ્ચે 70 રનની પાર્ટનરશિપ
54 રનમાં 4 વિકેટ ગુમાવ્યા પછી હૈદરાબાદ માટે હેનરિક ક્લાસેન અને એડન માર્કરમે ઇનિંગને સંભાળી હતી. બન્નેએ સાથે મળીને 47 બોલમાં 70 રનની ભાગીદારી કરી હતી. ક્લાસેન 36 રન બનાવીને આઉટ થતાં આ પાર્ટનરશિપ તૂટી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow