છૂટાછેડાને યાદગાર બનાવવા પણ વેલેન્ટાઇન ડે પસંદ કરાયો, યુગલ 7 વર્ષે છૂટું થયું

છૂટાછેડાને યાદગાર બનાવવા પણ વેલેન્ટાઇન ડે પસંદ કરાયો, યુગલ 7 વર્ષે છૂટું થયું

વેલેન્ટાઇ-ડે નિમિત્તે પ્રેમી યુગલ ભેગા જ થાય એવું માની ન લેવું. કેટલાંક સંબંધ એવા હોય છે જે જુદા પડવા માટે પણ યોગ્ય દિવસની રાહ જોતા હોય છે. આવા જ એક કેસમાં દંપતીએ લગ્નજીવન દરમિયાન મનમેળ ન બેસતા સાથે રહેવાય એમ ન હોય રાજીખુશીથી જુદા થવા માટે આ દિવસ પસંદ કર્યો હતો.

પતિ બહાર રહેતા બંને વચ્ચે સતત અંતર વધતું ગયું
પતિ 6-6 મહિના સુધી સતત બહાર રહેતો હોય બંને વચ્ચે સતત અંતર વધતું ગયું હતું. આખરે પત્નીએ પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. જો કે, પત્નીએ જ રાજીખુશીથી જુદા થવાની વાત કરતા પતિએ સહજતાથી સ્વીકારી લીધી હતી. આ કેસમાં પતિ તરફે એડવોકેટ પ્રીતિ જોષીએ કહ્યું કે છૂટાછેડા લેવા માટે સમાજિક છોછ અનુભવતા લોકો માટે આ કિસ્સો ધ્યાને લેવા જેવો છે.

નાની-નાની બાબતોએ ઝઘડા થવા માંડ્યા
રાકેશ અને સરીતા (નામ બદલ્યાં છે)ના 2016માં વડોદરા ખાતે લગ્ન થયા હતા. શરૂઆતમાં બંને એકબીજાનો સાથ આપતા. યુવતીનો ઘરના સભ્યો સાથે પણ વ્યવહાર સારો હતો. પતિ અને પત્ની સયમાંતરે ફરવા પણ જતા હતા. જો કે, ધીમે ધીમે બંને વચ્ચે નાની-નાની બાબતોએ ઝઘડા થવા માંડ્યા અને વાતનું વતેસર થતાં 2021માં સરીતાએ કોર્ટમાં કેસ કર્યો હતો.

પતિ ક્રુ મેમ્બર હોવાથી વર્ષમાં 6 મહિના બહાર રહેતો હતો
પતિ ક્રુ મેમ્બર હોય છ-છ મહિના બહાર રહેતા. છતાં કોલ કરીને પત્નીની પૃચ્છા કરતા રહેતા હતા. જો કે, પતિના આવ્યા બાદ પણ ઝઘડો વધતા બંને અલગ રહેતા થયા અને વડોદરા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જ્યારે પતિએ લગ્ન પુન:સ્થાપિત કરવા માટે અરજી કરી હતી. જો કે, પત્નીએ છુટાછેડા જ ડિમાન્ડ કરતા બંને રાજીખુશીથી મંગળવારે વેલેન્ટાઇન ડેના જુદા થવાનો નિર્ણય લીધો હતો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow