વૈશાખ પૂનમ ભગવાન વિષ્ણુની પૂજાનો તહેવાર

વૈશાખ પૂનમ ભગવાન વિષ્ણુની પૂજાનો તહેવાર

આજે વૈશાખ માસની પૂનમ છે. આ દિવસને પીપળ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે પીપળની વિશેષ પૂજા શાસ્ત્રોમાં કરવામાં આવી છે.

સ્કંદ, પદ્મ અને શ્રીમદ ભાગવત મહાપુરાણ અનુસાર આ વૃક્ષમાં તમામ દેવતાઓ અને પૂર્વજોનો વાસ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે પીપળો એ ભગવાન વિષ્ણુનું જીવંત અને સંપૂર્ણ મૂર્ત સ્વરૂપ છે.

પૂનમના દિવસે પિતૃઓ માટે કરવામાં આવતી પૂજાથી પિતૃઓ તો તૃપ્ત થાય જ છે, પરંતુ ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તેથી જ વૈશાખ માસની પૂર્ણિમાએ પીપળની પૂજા કરવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે.

શ્રીમદ ભાગવતમાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે, પીપળો તેમનું એક સ્વરૂપ છે, તેથી પીપળાની પૂજા કરવાથી શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે અને આપણાં દુઃખ દૂર કરે છે. આ જ કારણ છે કે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા માટે વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. તેને અશ્વત્થ પણ કહેવામાં આવે છે.

સ્કંદ પુરાણ અનુસાર પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુ, દાંડીમાં કૃષ્ણ અને ફળો અને ફૂલોમાં તમામ દેવતાઓનો વાસ છે. પીપળાને ભગવાન વિષ્ણુનું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે શ્રીમદ ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે પીપળાનું વૃક્ષ તમામ વૃક્ષોમાં શ્રેષ્ઠ છે કારણ કે તે વાસ્તવમાં મારું સ્વરૂપ છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow