વૈશાખ પૂનમ ભગવાન વિષ્ણુની પૂજાનો તહેવાર

વૈશાખ પૂનમ ભગવાન વિષ્ણુની પૂજાનો તહેવાર

આજે વૈશાખ માસની પૂનમ છે. આ દિવસને પીપળ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે પીપળની વિશેષ પૂજા શાસ્ત્રોમાં કરવામાં આવી છે.

સ્કંદ, પદ્મ અને શ્રીમદ ભાગવત મહાપુરાણ અનુસાર આ વૃક્ષમાં તમામ દેવતાઓ અને પૂર્વજોનો વાસ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે પીપળો એ ભગવાન વિષ્ણુનું જીવંત અને સંપૂર્ણ મૂર્ત સ્વરૂપ છે.

પૂનમના દિવસે પિતૃઓ માટે કરવામાં આવતી પૂજાથી પિતૃઓ તો તૃપ્ત થાય જ છે, પરંતુ ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તેથી જ વૈશાખ માસની પૂર્ણિમાએ પીપળની પૂજા કરવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે.

શ્રીમદ ભાગવતમાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે, પીપળો તેમનું એક સ્વરૂપ છે, તેથી પીપળાની પૂજા કરવાથી શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે અને આપણાં દુઃખ દૂર કરે છે. આ જ કારણ છે કે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા માટે વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. તેને અશ્વત્થ પણ કહેવામાં આવે છે.

સ્કંદ પુરાણ અનુસાર પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુ, દાંડીમાં કૃષ્ણ અને ફળો અને ફૂલોમાં તમામ દેવતાઓનો વાસ છે. પીપળાને ભગવાન વિષ્ણુનું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે શ્રીમદ ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે પીપળાનું વૃક્ષ તમામ વૃક્ષોમાં શ્રેષ્ઠ છે કારણ કે તે વાસ્તવમાં મારું સ્વરૂપ છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow