અતીકને લઈને યુપી પોલીસ અમદાવાદ આવવા રવાના

અતીકને લઈને યુપી પોલીસ અમદાવાદ આવવા રવાના

ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા મેળવનાર માફિયા અતીક અહેમદને પોલીસ કાફલો અમદાવાદની સાબરમતી જેલમાં પરત લાવી રહ્યો છે. માફિયા અતીકને લઈને મધ્યપ્રદેશના શિવપુરીથી રાજસ્થાનના બારાં જિલ્લામાં પહોંચ્યો. ઝાંસીથી નીકળીને કાફલો રાજસ્થાનના બારાં સુધી ક્યાંય રોકાયો નહોતો. બારાં ખાતે વાહનોમાં ઈંધણ ભરવા કાફલો રોકાયો હતો. અગાઉ, બાંદાથી હમીરપુરની બોર્ડરમાં પ્રવેશ કરતી વખતે કાફલો અટક્યો ત્યારે પ્રિઝનર વાનમાંથી નીચે ઉતરેલા અતીક અહેમદે મીડિયા સમક્ષ મૂછે હાથ ફેરવીને કહ્યું હતું કે તે આ મામલે હાઈકોર્ટમાં જશે.

અગાઉ, યુપી પોલીસ માફિયા અતીક અહેમદને લઈને રાત્રે 8.35 વાગ્યે પ્રયાગરાજથી સાબરમતી જેલ જવા રવાના થઈ હતી. અહીંથી જતા પહેલા અતીકનું બ્લડપ્રેશર વધી ગયું હતું. પોલીસે તેને દવા આપી. આરામ કર્યા પછી, તેને લઈ જવામાં આવ્યો. પ્રયાગરાજથી નીકળ્યા પછી અતીક અહેમદને લઈને અમદાવાદ આવી રહેલા પોલીસ કાફલાએ લગભગ 200 કિમીનું અંતર કાપ્યું છે અને કાફલો બુંદેલખંડ હાઈવે પર આગળ વધી રહ્યો છે. મંગળવારે જ ઉમેશ પાલના અપહરણ કેસમાં અતીકને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. અત્યાર સુધીમાં આ કાફલો એક વાર ચિત્રકૂટ પોલીસ લાઈનમાં ફૂડ પેકેટ લેવા માટે ઉભો રહ્યો હતો. જ્યાં 10 થી 15 મિનિટ ઉભા રહ્યા બાદ કાફલો અમદાવાદ તરફ જવા રવાના થયો હતો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow