નખત્રાણામાં દશેરાએ બ્રાહ્મણો કરશે રાવણ દહનનો બહિષ્કાર

નખત્રાણામાં દશેરાએ બ્રાહ્મણો કરશે રાવણ દહનનો બહિષ્કાર

દેવાધિદેવ મહાદેવનો ઉપાસક રાવણ એક શક્તિશાળી વ્યક્તિ હતો. તેને મળેલા શ્રાપ મુજબ રામના હાથે મૃત્યુ થયું હતું એ જોતાં રાવણના પૂતળાનું દહન કરવું યોગ્ય નથી તેમ નખત્રાણા ખાતે યોજાયેલી તાલુકા બ્રહ્મ સમાજની બેઠકમાં જણાવાયું હતું. આ સંજોગોમાં નખત્રાણા ખાતે દશેરાએ યોજાનારા રાવણ દહનના કાર્યક્રમો બહિષ્કાર કરાશે તેવો નિર્ણય બેઠકમાં સર્વાનુમતે લેવાયો હતો.

તાલુકાભરના જ્ઞાતિ અગ્રણીઓની બહોળી ઉપસ્થિતિમાં આયોજિત બેઠકમાં સમગ્ર તાલુકામાંથી કોઈપણ બ્રાહ્મણ રાવણ દહનના કાર્યક્રમમાં ભાગ નહી લે તેમ ઠરાવાયું હતું. આ તકે જણાવાયું હતું કે, રાવણ એક મહા શક્તિશાળી વ્યક્તિ હતો અને મહાદેવનો ઉપાસક હતો તે અસુરી શક્તિ ધરાવતો હતો પરંતુ જન્મે બ્રાહ્મણ હતો.

ભગવાન રામના હાથે મૃત્યુ થશે તેવો તેને શ્રાપ મળ્યો હતો અને તે માટે તેમણે સીતાજીનું હરણ કરવાનું પગલું ભર્યું હતું. આ કારણે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા દશેરાના દિવસે રાવણ દહનનો બહિષ્કાર કરવામાં આવશે તેવી સૌ આગેવાનોએ એકસુરે વાત કરી હતી. તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રકાશ જોશી, ઉપપ્રમુખ દિનેશ જોશી, રાજેશ જોશી, પરશુરામસેનાના પ્રમુખ મિતેશ સોનપાર, કમલેશ રાવલ, અનિલ રાજગોર, વિશાલ જોશી, ભાવિન રાજગોર જયમીન નબોટી ધર્મેશ જોષી રાજભાઇ ગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow