9 વર્ષની એનાને બચાવી ન શક્યા તો નિષ્ણાતોએ કૅન્સરની તમામ ગાંઠનો નાશ કરતી દવા શોધી

9 વર્ષની એનાને બચાવી ન શક્યા તો નિષ્ણાતોએ કૅન્સરની તમામ ગાંઠનો નાશ કરતી દવા શોધી

અમેરિકન નિષ્ણાતોએ કૅન્સરની દરેક પ્રકારની ગાંઠનો નાશ કરતી દવા બનાવી છે. તેને ‘એઓએચ1996’ નામ અપાયું છે. પહેલા તબક્કાની ટ્રાયલમાં તે 70% કારગર નિવડી છે. આ ઇનોવેશનના જનક પ્રો. લિન્ડા મલ્કાસને કૅન્સરથી ઝઝૂમી રહેલી 9 વર્ષીય એના ઓલિવિયા પાસેથી દવા બનાવવાની પ્રેરણા મળી હતી. તેને બચાવી ન શક્યા પરંતુ આ દવા તેને સમર્પિત છે. અેનાના શોર્ટ ફોર્મથી જ નામકરણ કરાયું છે.

1996માં ઇન્ડિયાનાપોલિસમાં જન્મેલી એના રોજ સકારાત્મક દૃષ્ટિકોણ સાથે જીવતી બાળકી હતી. 5 વર્ષ સુધી ન્યૂરોબ્લાસ્ટોમાથી પીડાતી રહી. કૅન્સરનો આ પ્રકાર બાળકોમાં એડ્રીનલ ગ્લાન્ડ પાસે વિકસિત થાય છે. તેની લપેટમાં આવેલાં 50% બાળકો જ જીવિત રહી શકે છે. એનાનાં માતાપિતા (સ્ટીવ તેમજ બાર્બરા) સાથે મારી મુલાકાત 2005માં થઇ હતી. ત્યારે એનાની બીમારી લાસ્ટ સ્ટેજમાં પહોંચી ચૂકી હતી. સ્ટીવને મેં કૅન્સરથી જોડાયેલા રિસર્ચનો ડેટા દર્શાવ્યો. સ્ટીવે કહ્યું કે તમે બ્રેસ્ટ કૅન્સર માટે શ્રેષ્ઠ કામ કરી ચૂક્યાં છો, જો ન્યૂરોબ્લાસ્ટોમા માટે પણ કંઇક કરી શકો તો અમારા માટે મોટી વાત હશે. હું અેના માટે કંઇક કરવા માંગતી હતી. મારું ફોકસ ન્યૂરોબ્લાસ્ટોમા પર હતું. મેં એ દવા પર કામ શરૂ કર્યું, જે કૅન્સર સેલ્સમાં રહેલા તે પ્રોટીન ‘પ્રોલિફેરેટિંગ સેલ ન્યૂક્લિયર એન્ટિજન’ને ટાર્ગેટ કરી શકે, જેનાથી શરીરમાં ટ્યૂમર ફેલાય છે અને વધે છે. પહેલાં આ પ્રોટીનની સારવાર શક્ય ન હતી. મેં રિસર્ચ માટે અનેક લેબ સાથે વાત કરી પરંતુ કોઇ સમય કે સંસાધન ન આપી શક્યું. આ દરમિયાન સિટી ઑફ હોપ સેન્ટરમાંથી કોલ આવ્યો અને 2011માં કામ શરૂ કર્યું. એક મૉલિક્યૂલ વિકસિત કરવું, જે પીસીએનએ પ્રોટીનને નષ્ટ કરે. 18 લોકો પર તેનું રિસર્ચ થયું છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow