આંધ્રપ્રદેશમાં બે ટ્રેન અથડાઈ, 8નાં મોત

આંધ્રપ્રદેશમાં બે ટ્રેન અથડાઈ, 8નાં મોત

આંધ્રપ્રદેશના વિજયાનગરમ જિલ્લામાં બે ટ્રેનો સામસામે અથડાઈ છે. આ અકસ્માતમાં 8 મુસાફરોના મોત થયા છે. જ્યારે 25 મુસાફરો ઘાયલ થયા છે. વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ હતી. આ અકસ્માત વિજયાનગરમ જિલ્લાના અલમાંડા-કંકટપલ્લી વચ્ચે થયો હતો.

દક્ષિણ કોસ્ટ રેલવે ઝોનના એક અધિકારીએ જણાવ્યું કે ટ્રેન 08532 વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર, 08504 વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સાથે અથડાઈ હતી, પરિણામે ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

રાહત અને સહાય કામગીરી ચાલી રહી છે વોલ્ટેર ડિવિઝનલ રેલવે મેનેજર (DRM)એ જણાવ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે, સ્થાનિક વહીવટીતંત્ર અને NDRFને સહાય અને એમ્બ્યુલન્સ માટે જાણ કરવામાં આવી છે. અકસ્માત રાહત ટ્રેનો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તે જ સમયે, મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે સીએમ વાયએસ જગનમોહન રેડ્ડીએ રાહત કાર્ય માટે તમામ વ્યવસ્થા કરવા કહ્યું છે. એમ્બ્યુલન્સ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

પીએમ મોદીએ અકસ્માત અંગે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી. તેમણે અકસ્માતથી પ્રભાવિત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા જણાવ્યું. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow