આંધ્રપ્રદેશમાં બે ટ્રેન અથડાઈ, 8નાં મોત

આંધ્રપ્રદેશમાં બે ટ્રેન અથડાઈ, 8નાં મોત

આંધ્રપ્રદેશના વિજયાનગરમ જિલ્લામાં બે ટ્રેનો સામસામે અથડાઈ છે. આ અકસ્માતમાં 8 મુસાફરોના મોત થયા છે. જ્યારે 25 મુસાફરો ઘાયલ થયા છે. વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ હતી. આ અકસ્માત વિજયાનગરમ જિલ્લાના અલમાંડા-કંકટપલ્લી વચ્ચે થયો હતો.

દક્ષિણ કોસ્ટ રેલવે ઝોનના એક અધિકારીએ જણાવ્યું કે ટ્રેન 08532 વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર, 08504 વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સાથે અથડાઈ હતી, પરિણામે ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

રાહત અને સહાય કામગીરી ચાલી રહી છે વોલ્ટેર ડિવિઝનલ રેલવે મેનેજર (DRM)એ જણાવ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે, સ્થાનિક વહીવટીતંત્ર અને NDRFને સહાય અને એમ્બ્યુલન્સ માટે જાણ કરવામાં આવી છે. અકસ્માત રાહત ટ્રેનો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તે જ સમયે, મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે સીએમ વાયએસ જગનમોહન રેડ્ડીએ રાહત કાર્ય માટે તમામ વ્યવસ્થા કરવા કહ્યું છે. એમ્બ્યુલન્સ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

પીએમ મોદીએ અકસ્માત અંગે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી. તેમણે અકસ્માતથી પ્રભાવિત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા જણાવ્યું. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow