બે જૂથ છરી-ધોકા સાથે એક બીજા પર તૂટી પડ્યા, બે ગંભીર, 19 સામે ગુનો

બે જૂથ છરી-ધોકા સાથે એક બીજા પર તૂટી પડ્યા, બે ગંભીર, 19 સામે ગુનો

શહેરના ગાંધીગ્રામ વિસ્તારના જીવંતિકાનગરમાં સ્કૂટર અથડાવાના સામાન્ય મુદ્દામાં બે જૂથ સામસામે આવી ગયા હતા અને છરી ધોકાથી એક બીજા પર તૂટી પડ્યા હતા. જેમાં બંને જૂથના એક એક વ્યક્તિની હત્યાની કોશિશ થઇ હતી. પોલીસે બંને જૂથના 19 સામે ગુનો નોંધ્યો હતો.

જીવંતિકાનગરમાં રહેતા મીત મનીષ ધામેચા (ઉ.વ.21)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિપેશ ઉર્ફે ભટ્ટુ, મયૂર, ગૌરવ વાઢેર, નેહાંશુ, ભવ્ય વાળા તથા સાત અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. મીતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, શનિવારે સાંજે પોતે એક્ટિવા ચલાવીને ગંગેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે તેના મિત્ર દિપેશની પત્ની આરતી અચાનક જ સ્કૂટર લઇને નીકળતાં મીતે પોતાના સ્કૂટરને બ્રેક મારી હતી અને આરતીને સંભાળીને સ્કૂટર ચલાવાનું કહેતા આરતીએ તેને ગાળો ભાંડી હતી, ત્યારબાદ બંને પોત પોતાના ઘરે જતા રહ્યા હતા.

રાત્રે દિપેશ સહિતના શખ્સો મીતના ઘર પાસે ધસી ગયા હતા અને મીત તથા તેના કાકા ચિરાગભાઇ અમિતભાઇ સહિતનાઓ પર છરી ધોકાથી તૂટી પડ્યા હતા. મીતને બચાવવા તેના દાદી કાશીબેન વચ્ચે પડતાં તેને પણ પડખામાં છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા કાશીબેનને હોસ્પિટલમાં ખસેડાયા હતા. સામાપક્ષે અક્ષરનગરમાં રહેતા દિપેશ દિલીપભાઇ કંબોડિયા (ઉ.વ.23)એ વળતી ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે મીત ઠાકોર, અમિત ઠાકોર, અમિત ઠાકોરના પિતા તથા ચાર અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. દિપેશે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પત્ની આરતીએ ગાળો આપી નહોતી તેવું સમજાવવા જતાં આરોપીઓ ધોકા છરીથી તૂટી પડ્યા હતા અને દિપેશને ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. પોલીસે બંને જૂથના 19 શખ્સ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow