બિહારમાં ટ્રકે રિક્ષાને કચડી નાખી, એક જ પરિવારના 8ના મોત, ટ્રેનમાં બેસવા જઈ રહ્યાં હતા

બિહારમાં ટ્રકે રિક્ષાને કચડી નાખી, એક જ પરિવારના 8ના મોત, ટ્રેનમાં બેસવા જઈ રહ્યાં હતા

બિહારના કટિહારથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ અકસ્માત એન.એચ. 81 પર કોધા પોલીસ સ્ટેશન વિસ્તારના દિઘારી ખાતે થયો હતો. જાણકારી અનુસાર ઓટો અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સાથે જ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. હાલ મૃતકની ઓળખ મળી રહી છે.

તમામ મૃતકો એક જ પરિવારના
અકસ્માતનો ભોગ બનેલા લોકો એક જ પરિવારના હતા અને તેઓ ક્યાંક જવા માટે ટ્રેન પકડવા માટે જતા હતા ત્યારે ટ્રકે તેમની રિક્ષાને કચડી નાખી હતી. અકસ્માત બાદ વાહનવ્યવહાર સંપૂર્ણ પણે ઠપ થઈ ગયો છે.

યુપીના ઉન્નાવમાં બસનો એક્સિડન્ટ ચાર લોકોના મોત
સોમવારે ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર આગ્રાથી લખનઉ જઈ રહેલા ડીસીએમ સાથે સવારે 4 વાગ્યે પાછળ ચાલતી સ્લીપર બસ ટકરાઈ હતી. બસમાં મુસાફરી કરી રહેલા ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે એક મહિલાનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ સાથે જ 10થી 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow