ચીનમાં કોરોના ટેસ્ટ વિના યાત્રાની મંજૂરી!

ચીનમાં કોરોના ટેસ્ટ વિના યાત્રાની મંજૂરી!

ચીનમાં દેખાવકારોનો મોટો વિજય થયો છે. દેખાવોને કારણે ચીનની સરકાર તેની ઝીરો કોવિડ નીતિમાં ફેરફાર કરવા મજબૂર થઈ છે. તેણે કોરોના રોકવા માટે લાગુ કરેલા પ્રતિબંધોમાં રાહત આપી છે. તે હેઠળ સંક્રમિત થનારા લોકો હોસ્પિટલ કે સરકાર તરફથી નક્કી કરાયેલી સુવિધામાં દાખલ થવાની જગ્યાએ ઘરે જ ક્વૉરન્ટાઈન રહી શકશે. જે સ્કૂલોમાં કોઈ સંક્રમિત નથી ત્યાં ક્લાસ શરૂ કરી શકાશે.

હવે ચીનમાં ગમે ત્યાં જવા માગતા લોકોએ ફરજિયાત કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવો નહીં પડે. ચીનના અધિકારીઓએ એમ પણ કહ્યું કે જ્યાં સુધી કોઈ ક્ષેત્રને વધારે જોખમવાળું જાહેર નહીં કરાય ત્યાં સુધી કામ અને પ્રોડક્શન અટકાવી નહીં શકાય. ફક્ત રિટાયરમેન્ટ હોમ્સ, સ્કૂલો અને ક્લિનિક ઉપરાંત અન્ય સ્થળોએ કોરોના નેગેટિવ રિપોર્ટની જરૂર નહીં પડે.

ઝીરો કોવિડ નીતિના ત્રણેય મુદ્દે યુ-ટર્ન, લોકોએ ઉજવણી કરી
ચીનમાં ઝીરો કોવિડ નીતિના 3 મુદ્દા નક્કી કરાયા હતા. પ્રથમ, મોટા પાયે ટેસ્ટિંગ જેથી સંક્રમિતોને ઓળખી શકાય. બીજું, ક્વૉરન્ટાઇનની સેન્ટ્રલાઈઝ વ્યવસ્થા, જે હેઠળ સંક્રમિતોને સરકારી સુવિધાઓ કે હોસ્પિટલમાં રહેવું પડે. ત્રીજું, લૉકડાઉન લગાવી ચેપને સતત ફેલાતો રોકવો. આ ત્રણે મુદ્દાથી ચીને પીછેહઠ કરી છે. આ રાહત ત્યારે અપાઈ છે જ્યારે ચીનમાં દરરોજ સરેરાશ 30 હજાર કેસ મળી રહ્યા છે. રાહતના સમાચાર આવતા જ લોકોએ ઉજવણી કરી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow