દેશના સૌથી ધનિક મંદિર તિરુમાલા ભારતભરનાં મંદિરોને દાનના મેનેજમેન્ટના પાઠ ભણાવશે

દેશના સૌથી ધનિક મંદિર તિરુમાલા ભારતભરનાં મંદિરોને દાનના મેનેજમેન્ટના પાઠ ભણાવશે

આજથી વારાણસીમાં દેશ-વિદેશના મંદિરોના ત્રણ દિવસીય કુંભમેળાનો પ્રારંભ થશે. સંઘના વડા મોહન ભાગવતના હસ્તે આ આંતરરાષ્ટ્રીય સ્તરના મેળાનું ઉદઘાટન કરાશે. આ કુંભમેળામાં 468 મંદિરોના વ્યવસ્થાપકો ભાગ લઇ રહ્યા છે. દેશનું સૌથી ધનિક તિરુમાલા મંદિર અહીં ઉપસ્થિત મંદિરોને દાનના મેનેજમેન્ટના પાઠ ભણાવશે. દેશ-વિદેશનાં તમામ મોટાં મંદિરો ઉપરાંત ઇસ્કોન અને ગુરુદ્વારા પણ ભાગ લઇ રહ્યાં છે.

આજે ટેમ્પલ કનેક્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટેમ્પલ્સ કન્વેકશન એન્ડ એક્સપોના ફાઉન્ડર ગિરીશ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, મંદિરોમાં પેઢીઓથી પરંપરાગત પ્રણાલીઓ છે, પણ આ પ્રણાલી કે વ્યવસ્થાપનનું સુવ્યવસ્થિત દસ્તાવેજીકરણ કરાયું નથી કે નથી તેનો કોઇ અભ્યાસ કરાયો. આ કાર્યક્રમમાં ભારત વર્ષ તેમજ વિદેશનાં 468 મંદિરે ભાગ લીધો છે. 785 સભ્યો આવશે. કાશીનગરમાં થઇ રહેલા આ કાર્યક્રમને વડાપ્રધાને ખૂબ જ સારી પહેલ ગણાવી છે. ભારતમાં ઉત્સુકતા છે. આ વિષયોની વિચાર-સાહિત્ય સામગ્રી લોકો વચ્ચે પહોંચે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

દેશનાં 1,683 મંદિરો આમંત્રિત કરાયાં
દેશમાં 22થી 23 લાખ મંદિરો છે. દેશનાં 1,683 મંદિરને કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ અપાયું છે. આ કાર્યક્રમમાં દેશનાં મંદિરોના વ્યવસ્થાપકો, પૂજારીઓ અને લોકો એક જ જગ્યાએ સંમેલિત થશે. મંદિરોના વ્યવસ્થાપન, રોજિંદી કામગીરી કેવી રીતે થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજાશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow