બેકારીથી કંટાળી ફાંસો ખાઇ યુવકનો આપઘાત

બેકારીથી કંટાળી ફાંસો ખાઇ યુવકનો આપઘાત

ગાંધીગ્રામના ભારતીનગરમાં રહેતા યુવકે બેકારીથી કંટાળી ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, તેમજ ખેરડીના યુવકે વખ ઘોળી આપઘાત કરી લીધો હતો. ભારતીનગરમાં રહેતા વિજયસિંહ મહિપતસિંહ ગોહિલ (ઉ.વ.40) રવિવારે બપોરે પોતાના ઘરે હતા ત્યારે પોતાના રૂમનું બારણું અંદરથી બંધ કરી ઓછાડ પંખાના હૂકમાં બાંધી ફાંસો ખાઇ લીધો હતો, લાંબો સમય વીતવા છતાં વિજયસિંહ બહાર નહીં આવતા પરિવારજનોએ બારણું ખટખટાવ્યું હતું પરંતુ અંદરથી કોઇ પ્રતિસાદ નહીં મળતા બારણું તોડતાં જ વિજયસિંહનો લટકતો દેહ નીચે જોવા મળ્યો હતો,

વિજયસિંહને નીચે ઉતારી પરિવારજનોએ હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામના પીએસઆઇ ક્રિશ્ચિયન સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના બાદ ધંધો સારી રીતે ચાલતો નહોતો અને બેકારીની સ્થિતિને કારણે વિજયસિંહ ચિંતામાં રહેતા હતા અને તે કારણે પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. યુવકના આપઘાતથી તેની બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા ગોહિલ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow