ગોવા-હિમાચલથી કંટાળી ગયા! તો હવે મહારાષ્ટ્રના આ 5 પિકનિક સ્થળોની મુલાકાત લઇ આવો, થઈ જશો ચાહક

ગોવા-હિમાચલથી કંટાળી ગયા! તો હવે મહારાષ્ટ્રના આ 5 પિકનિક સ્થળોની મુલાકાત લઇ આવો, થઈ જશો ચાહક

મહારાષ્ટ્રના આ 5 સ્થળોનો પ્રવાસ કરી આવો

મહારાષ્ટ્રને દેશના સૌથી સુંદર રાજ્યોમાંથી એક માનવામાં આવે છે. તો મહારાષ્ટ્રની રાજધાની મુંબઈનુ નામ દેશની ફેમસ ટ્રાવેલ ડેસ્ટિનેશન્સમાં સામેલ છે. મહારાષ્ટ્ર જતા મોટાભાગના લોકો મુંબઈ બાદ પુણેને વધારે એક્સપ્લોર કરવાનુ પસંદ કરે છે. પુણેમાં ફરવા માટે ઘણા સારા લોકેશન્સ છે. ખાસ કરીને નેચર લવર્સ અને એડવેન્ચર પસંદ કરનારા લોકો માટે પુણેનો પ્રવાસ બેસ્ટ હોય છે. પરંતુ પુણેની સાથે આજુબાજુની અમુક જગ્યાઓની મુલાકાત તમારા પ્રવાસમાં ચાર ચાંદ લગાવી શકે છે. તો આવો જાણીએ પુણેની પાસે સ્થિત અમુક લોકપ્રિય ટ્રાવેલ ડેસ્ટિનેશન્સના નામ, જેને એક્સપ્લોર કરીને તમે પોતાના પ્રવાસને યાદગાર બનાવી શકો છો.

કામશેટ

પુણેથી સરેરાશ 48-50 કિલોમીટરના અંતરે સ્થિત કામશેટ અહીંની સુંદર જગ્યામાંથી એક છે. હર્યાભર્યા પહાડો અને ઝરણાથી ઘેરાયેલ કામશેટ પેરાગ્લાઈડિંગ માટે ખૂબ લોકપ્રિય છે.  તો કામશેટને એક્સપ્લોર કરવા માટે ઓક્ટોબરથી મેની વચ્ચેનો સમય બેસ્ટ મનાય છે.

પાવના લેક

પાવના લેક પુણેથી 50-60 કિલોમીટરના અંતરે આવેલો છે. ઓક્ટોબરથી એપ્રિલની વચ્ચે પાવના લેકનો પ્રવાસ કરવો તમારા માટે શ્રેષ્ઠ ઑપ્શન સાબિત થઇ શકે છે. તો પુણેની પાસે સ્થિત પાવના લેક કેપિંગ માટે ઘણો લોકપ્રિય છે.

લોનાવલા અને ખંડાલા

પુણેથી 60-70 કિલોમીટરના અંતરે સ્થિત લોનાવલા અને ખંડાલાને મહારાષ્ટ્રના લોકપ્રિય હિલ સ્ટેશનોમાં ગણવામાં આવે છે. સુંદર નજારાથી ભરપૂર આ હિલ સ્ટેશનો પર ઘણા બોલીવુડ ફિલ્મોના સીન પણ જોવા મળી શકે છે. મહારાષ્ટ્રનુ લોકલ ફૂડ ચાખીને તમે તમારા પ્રવાસને એન્જોય કરી શકો છો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow