કોરોના પર એલર્ટ રહેવાનો સમય, સરકારે જોખમ, બૂસ્ટર અને માસ્ક પર આપી આ સલાહ

કોરોના પર એલર્ટ રહેવાનો સમય, સરકારે જોખમ, બૂસ્ટર અને માસ્ક પર આપી આ સલાહ

દેશમાં કોરોનાનાં નવા કેસોને જોતાં બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સ્વાસ્થ્ય અધિકારીઓની સાથે બેઠક કરી હતી. બેઠક બાદ તેમણે જણાવ્યું કે કોરોના હજી સમાપ્ત થયો નથી પરંતુ દેશ તમામ પરિસ્થિતિઓ સામે લડવા તૈયાર છે. નીતિ આયોગનાં સદસ્ય ડો.વીકે પૉલે જણાવ્યું કે પેનિક થવાની જરૂર નથી.

લોકોને માસ્ક પહેરવાની સલાહ
ડો.વીકે પૉલે જણાવ્યું કે મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે કોરોનાને લઇને દરેક અઠવાડિયે સ્વાસ્થ્ય મંત્રાલયમાં સમીક્ષા બેઠક થશે. આ દરમિયાન ડો. પૉલે ભીડભાડમાં લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે દેશમાં કોરોના ટેસ્ટિંગ પૂરતાં પ્રમાણમાં થઇ રહ્યાં છે. વચ્ચે- વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલય નિર્ણય લેશે કે આગળ શું પગલાં લેવા જોઇએ.

લોકોએ બુસ્ટર ડોઝ લગાડવા- ડો. પૉલ
ડો. પૉલે જણાવ્યું કે જોનોમિસ્ક સર્વિલાંસ બાદ સપ્ટેમ્બરમાં  BF.7 વેરિયન્ટ ત્રણ વખત ભારતમાંથી મળી આવ્યું હતું. હાલમાં દેશમાં 18થી ઉપરનાં કેવળ 28% લોકોએ જ બૂસ્ટર ડોઝ લગાવડાવ્યો છે. તમામ લોકોએ બૂસ્ટર ડોઝ લગાવવો જોઇએ. આ સાથે જ તમામ રાજ્યોએ કેન્દ્ર સરકારનાં આદેશોનું પાલન કરવું પડશે.

જ્યાં નેચરલ ઇન્ફેક્શન નથી થયું ત્યાં ફેલાઇ શકે છે કોરોના
એમ્સનાં કમ્યુનિકેબલ ડિસીઝ પ્રોફેસર સંજય રાયે કહ્યું કે કોરોના વાયરસ ત્રણ વર્ષ જૂનું થઇ ગયું છે. તેને લઇને અમે ઘણાં એવિડેન્સ પણ ભેગા કર્યાં છે. અમને માહિતી પ્રાપ્ત થઇ છે કે જ્યાં જ્યાં નેચરલ ઇન્ફેક્શન નથી થયું ત્યાં આ વાયરસથી ઘણી પ્રોબ્લેમ્સ આવી શકે છે.

મ્યૂટેશન પછી પણ જે લોકો સંક્રમિત થયાં છે તે ત્રણ વર્ષ સુધી પ્રોટેક્ટેડ રહે છે. તેમણે કહ્યું કે ચીનમાં ઇન્ફેક્શન નહોતું થયું તેથી ત્યાં કેસ વધવાની આશંકા વધું છે.

ચીનની પરિસ્થિતિ પર મોનિટરિંગની જરૂર છે, ડરની નહીં
ICMRનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક સમીરન પાંડાએ કહ્યું કે અત્યારે ચીનમાં ઝડપથી કોરોનાનાં કેસો વધી રહ્યાં છે. અનુમાન છે કે આવનારાં ત્રણ મહિનાની અંદર ચીનનાં 60% લોકો સંક્રમિત થઇ જશે તેથી ભયનો માહોલ બનેલો જોવા મળી રહ્યો છે. ચીનમાં જે સ્થિતિ છે તેને મોનિટરિંગની જરૂર છે, તેનાથી ડરવાની જરૂર નથી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow