ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરૂવારનો દિવસ છે ખૂબ જ ખાસ, પરંતુ ભૂલથી પણ ના કરી બેસતા આ કામ

ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરૂવારનો દિવસ છે ખૂબ જ ખાસ, પરંતુ ભૂલથી પણ ના કરી બેસતા આ કામ

દેવગુરૂ બૃહસ્પતિ અને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને અઠવાડિયામાં ગુરૂવારનો દિવસ સમર્પિત કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે જો સાચ્ચા મન અને સંપૂર્ણ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુનુ સ્મરણ અને પૂજા-પાઠ કરવામાં આવે તો ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે જ તેમના દુઃખ અને કષ્ટોમાંથી છુટકારો મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત પણ કરવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિ ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે છે. તેને જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી આવતી. જો તમે પણ ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો છો તો આ દિવસે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખો. આ દિવસે આ કાર્યોને કરવાથી ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે અને વ્યક્તિને તેમની નારાજગીનો સામનો કરવો પડે છે.  

ગુરૂવારના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ

  • જ્યોતિષમાં આવા ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેને અનુસરવાથી ગુરુવારે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આ દિવસે ઘરની સફાઈ દરમિયાન ઘરમાંથી કચરો બહાર ન કાઢવો જોઈએ.
  • એવું કહેવાય છે કે ગુરુવારે ઘરને ધોવું અને લૂછવું જોઈએ નહીં. આ દિવસે વાળ અને કપડા વગેરે ધોવાની પણ મનાઈ છે.
  • એટલું જ નહીં આ દિવસે કોઈ પણ વસ્તુનું દાન ન કરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુવારે પીળા રંગની વસ્તુઓનું દાન કરવાની સલાહ આપવામાં આવે છે. આ દિવસે ગોળ, ચણા, ચણાની દાળ વગેરે વસ્તુઓનું દાન કરી શકાય છે.
  • આ દિવસે ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.
  • ગુરુવારે કેળાના ઝાડનું વિશેષ મહત્વ છે. આ દિવસે કેળાના ઝાડને જળ અર્પણ કરવામાં આવે છે. તેથી આ દિવસે કેળા ન ખાવા જોઈએ.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow