આ વર્ષે શ્રાવણમાં 4 નહીં હશે 8 સોમવાર, 5 મહિનાના હશે ચાતુર્માસ, જાણો દુર્લભ સંયોગનું કારણ

આ વર્ષે શ્રાવણમાં 4 નહીં હશે 8 સોમવાર, 5 મહિનાના હશે ચાતુર્માસ, જાણો દુર્લભ સંયોગનું કારણ

નવું વર્ષ 2023 1 જાન્યુઆરીથી શરૂ થયું છે. પરંતુ હિન્દુ કેલેન્ડર વિક્રમ સંવત મુજબ, આ વખતે વિક્રમ સાવંત 2080નું વર્ષ હશે, જે 12ને બદલે 13 મહિનાનો હશે. આ હિસાબે 2023માં અધિકમાસ હશે. અધિક માસને મલમાસ અથવા પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વ્રત અને તહેવારોની તારીખોમાં થશે ફેરફાર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અધિક માસના કારણે 2023માં વ્રત અને તહેવારોની તારીખોમાં ફેરફાર થશે. આ વર્ષે મકરસંક્રાંતિ પહેલા જ સકટ ચોથ આવશે. શ્રાવણમાં 4 નહિ પરંતુ 8 સોમવાર હશે અને ચાતુર્માસ 5 મહિનાનો હશે.

કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા આવો સંયોગ 2004માં બન્યો હતો. 19 વર્ષ બાદ 2023માં આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે. આવો જાણીએ મલમાસના કારણે ઉપવાસ અને તહેવારોની તારીખોમાં થયેલા ફેરફાર વિશે.

કઈ રીતે થાય છે મલમાસની ગણતરી
મલમાસ અથવા અધિકમાસના કારણે વર્ષ 2023માં તહેવારની તિથિઓમાં પરિવર્તન થઈ રહ્યો છે. પરંતુ સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે આખરે મલમાસની ગણતરી કઈ રીતે થાય છે. હકીકતે પંચાંગના આધાર પર દર ત્રીજા વર્ષમાં એક મહિનો વધારે હોય છે. જેને મલમાસ કહેવામાં આવે છે.

એક સૌર વર્ષ 365 દિવસ અને 6 કલાકનો હોય છે અને ચંદ્ર વર્ષ 354 દિવસનો હોય છે. એવામાં સૌર વર્ષ અને ચંદ્ર વર્ષની વચ્ચે અંતરને બરાબર કરવા માટે દર ત્રણ વર્ષમાં એક ચંદ્ર માસને તોડવામાં આવે છે. તેને જ મલમાસ કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં મલમાસના સમયે શુભ-માંગલિક કાર્યો નથી કરવામાં આવતા. જણાવી દઈએ કે વર્ષ 2023માં મલમાસ 18 જુલાઈ 2023થી શરૂ થઈ રહ્યો છે.

મલમાસ 2023ના કારણે ઘણા વ્રત-તહેવારની તિથિઓમાં પરિવર્તન
મકરસંક્રાંતિ પહેલા સંકટ ચોથ
દર વર્ષે મકરસંક્રાંતિ પછી સકટ ચોથનું વ્રત આવે છે. પરંતુ 2023માં 10 જાન્યુઆરીના રોજ સંકટ ચોથ વ્રત અને 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે.

ચાતુર્માસ 5 મહિનાનો રહેશે
વર્ષ 2023માં ચાતુર્માસ 5 મહિનાનો રહેશે. જે સામાન્ય રીતે ચાર મહિનાનો હોય છે. ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ આખા ચાર મહિના યોગ નિદ્રામાં હોય છે. પરંતુ આ વર્ષે ભગવાન વિષ્ણુ 5 મહિના સુધી યોગનિદ્રામાં રહેશે અને આ દરમિયાન ગૃહપ્રવેશ, મુંડન, લગ્ન, જનોઈ સંસ્કાર વગેરે જેવા શુભ કાર્યો થશે નહીં.

શ્રાવણના 8 સોમવાર હશે
સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં 4 કે 5 સોમવાર આવે છે. પરંતુ 2023માં 8 શ્રાવણ સોમવારના ઉપવાસ કરવામાં આવશે. કારણ કે પંચાંગ અનુસાર શ્રાવણ કૃષ્ણપક્ષ 4 થી 17 જુલાઈ સુધી છે અને તે પછી તે 18 જુલાઈથી અમલમાં આવશે. બીજી તરફ 16 ઓગસ્ટે માલમાસની અમાવાસ્યા રહેશે. આ દિવસે અધિક માસ સમાપ્ત થશે. આ પછી શ્રાવણનો શુક્લ પક્ષ શરૂ થશે, જે 30 ઓગસ્ટના રોજ, શ્રાવણ પૂર્ણિમાના દિવસે સમાપ્ત થશે. આ રીતે શ્રાવણ માસમાં અધિક માસના કારણે 8 સોમવાર આવશે.

રક્ષાબંધનની તારીખમાં પણ ફેરફાર
2023માં રક્ષાબંધનની તારીખમાં પણ ફેરફાર થશે કારણ કે શ્રાવ બે મહિના એટલે કે 60 દિવસનો છે. આ વર્ષે, રક્ષાબંધન ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં એટલે કે 30 ઓગસ્ટે છે. જ્યારે રક્ષાબંધન સામાન્ય રીતે 10-15 ઓગસ્ટની વચ્ચે હોય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow