શિયાળામાં દરરોજ ખાવું જોઈએ આ એક ફળ, ઈમ્યુનિટી-બ્યુટી સહિત અનેક વસ્તુમાં થશે ફાયદો

શિયાળામાં દરરોજ ખાવું જોઈએ આ એક ફળ, ઈમ્યુનિટી-બ્યુટી સહિત અનેક વસ્તુમાં થશે ફાયદો

શિયાળાની સિઝનમાં દરરોજ નારંગી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જેમાં પુષ્કળ માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને મજબૂત કરે છે. ઘુલનશીલ ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે, જેને કારણે તમને વારંવાર ભૂખ લાગતી નથી અને તમારો વજન પણ કાબુમાં રહે છે. જેના કારણે શરીરમાં કેલેરીની માત્રા ઓછી રહે છે.

નારંગીનુ સેવન કરવાથી પથરી થતી નથી

નારંગીનુ સેવન કિડની સ્ટોન થવાની શક્યતાને ઓછુ કરે છે. પેશાબમાં સાઇટ્રેટની કમી થવાથી કિડની સ્ટોન થઇ શકે છે. સાઇટ્રેટ એક સાઇટ્રીક એસિડ હોય  છે, જે સામાન્ય રીતે નારંગી જેવા ખાટ્ટા ફળોમાં હોય છે. નાની પથરીવાળા દર્દીઓને સામાન્ય રીતે એક ગ્લાસ નારંગીનુ જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે. આ પેશાબમાં સાઇટ્રેટના સ્તરને વધારે છે, જેનાથી પથરી બનવાની શક્યતા ઓછી થાય છે.

નારંગી સ્ટ્રોકનુ જોખમ ઘટાડે છે

ખાટ્ટા ફળ ખાસ કરીને નારંગી સ્ટ્રોકનુ જોખમ ઘટાડે છે. એવુ માનવામાં આવે છે કે નારંગીમાં રહેલ ફ્લેવોનોઈડ્સ હાર્ટની બિમારીઓ વધતા રોકે છે. આ સાથે આ બ્લડ સેલ્સના ફંક્શનને પણ શુદ્ધ કરે છે. નારંગી તમારા હેલ્થ માટે તો સારી છે, પરંતુ આ તમારી સ્કિનને પણ સારી રાખે છે. આ ખીલ, કાળા ધબ્બાને દૂર કરે છે અને સ્કિનને ચમકદાર બનાવે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow