તમારા સૂતેલા ભાગ્યને જગાડશે ગુલાબના ફૂલના આ ત્રણ ઉપાય, નોકરી-વેપારમાં થશે ઉન્નતિ

તમારા સૂતેલા ભાગ્યને જગાડશે ગુલાબના ફૂલના આ ત્રણ ઉપાય, નોકરી-વેપારમાં થશે ઉન્નતિ

ગુલાબનુ ફૂલ ભાગ્ય અને સુખ-સમૃદ્ધીનુ પ્રતિક હોય છે

આપણે પોતાના ઘરની અંદર અને બહાર અવાર-નવાર અલગ-અલગ પ્રકારના છોડ લગાવીએ છીએ. આ છોડ ઘરમાં હરિયાળી તો લાવે છે પરંતુ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ વધારે છે.

વાસ્તુ શાસ્ત્રમાં ગુલાબના ફૂલ અંગે ઘણી મહત્વની વાતો જણાવવામાં આવી છે. વાસ્તુ મુજબ ગુલાબનુ ફૂલ ભાગ્ય અને સુખ-સમૃદ્ધીનુ પ્રતિક હોય છે. જે લોકોના બનતા કામ બગડી જતા હોય છે,

તેઓ જો ગુલાબના ફૂલના ઉપાય કરી લે તો જીવનને સરળ બનાવવામાં વધુ સરળતા પડે છે. આજે અમે ગુલાબ સાથે જોડાયેલા અમુક વિશેષ ઉપાયો અંગે તમને જણાવીએ છીએ.  

ગુલાબના ફૂલના ઉપાય

મનોકામના પૂર્ણ કરવા માટે

વાસ્તુ શાસ્ત્ર મુજબ જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટથી બચવા માટે શનિવારે મંદિરમાં જઇને હનુમાનજીને ચોલા, સિંદૂર અને તેલ અર્પણ કરો. આ સાથે તેમને ગુલાબના ફૂલોની માળા પહેરાવીને મગના લાડુનો ભોગ ધરાવો.

સતત 7 શનિવાર સુધી આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનની બધી ઈચ્છાઓ પૂરી થાય છે.

સુખ-સમૃદ્ધી માટે ઉપાય

જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યાં છે તો શુક્રવારના દિવસે મંદિરમાં જઇને માં લક્ષ્મીને લાલ ગુલાબ અર્પણ કરો.

સતત 11 શુક્રવાર સુધી આ ઉપાય કરવાથી ઘરમાં ધનનો પ્રવાહ વધવા લાગે છે અને નોકરી-વેપારમાં પ્રગતિ થાય છે. આ સાથે પરિવારમાં પણ એકતા વધે છે.  

ઉતરી જાય છે વધેલુ દેવુ

વાસ્તુ શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિની ઉપર દેવુ થયુ છે તો તે ગુલાબના ફૂલના ઉપાય કરીને તેમાંથી મુક્તિ મેળવી શકે છે.  

જેના માટે તમે આરતીના સમયે ગુલાબના ફૂલની ઉપર કપૂર રાખીને પ્રગટાવી દો અને બાદમાં આ ફૂલને માં લક્ષ્મીને અર્પણ કરો. કહેવામાં આવે છે કે આ ઉપાયને કરવાથી ધીરે-ધીરે દેવાનો બોઝ ઓછો થાય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow