શિયાળામાં સ્વાસ્થ્ય માટે આ ફ્રુટ્સ છે રામબાણ, આજથી જ ડાયેટમાં સામેલ કરો, રહેશો બીમારીથી મુક્ત

શિયાળામાં સ્વાસ્થ્ય માટે આ ફ્રુટ્સ છે રામબાણ, આજથી જ ડાયેટમાં સામેલ કરો, રહેશો બીમારીથી મુક્ત

ઠંડીની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ શિયાળામાં ઉધરસ, શરદી અને તાવ જેવી ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે અને એવામાં આવી બીમારીથી બચવા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાથે જ આવી બીમારીઓ બચવા માટે ખાવા-પીવામાં વધુ કાળજી લેવાની જરૂર છે. શિયાળામાં શરદીથી બચવા માટે અમુક ફળોનું સેવન કરવું જોઈએ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને એ ફળોના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આજે અમે તમને શિયાળામાં કયા ફળોને ડાયટમાં સામેલ કરવા એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

નાસપતી - શિયાળાની ઋતુમાં નાસપતી ખાવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. શિયાળાના આ ફળમાં વિટામિન ઇ અને વિટામિન સી હોય છે સાથે જ આ ફળ એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. નાસપતી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે.

સફરજન- સફરજનનું સેવન પાચન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે. આ સાથે જ સફરજન કબજિયાત અને અપચાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. ઉપરાંત તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. જણાવી દઈએ કે રોજ એક સફરજનનું સેવન કરવાથી તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહો છો.

જામફળ- શિયાળામાં કે ઠંડીની ઋતુમાં જામફળનું સેવન કરવું ઘણું લાભદાયક છે. જામફળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સાથે જ જામફળના સેવનથી શરદી અને ફ્લૂની સમસ્યામાં પણ રાહત મળે છે.

દાડમ - દાડમને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણવામાં આવે છે. સાથે જ તેમાં ઘણા પોષક તત્વો પણ હોય છે. શિયાળામાં દાડમના રસનું સેવન કરવાથી ઘણી બીમારીઓમાંથી મુક્તિ મળે છે. તે રક્ત પરિભ્રમણ સુધારે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow