સ્વાસ્થ્ય માટે કંઇ વરદાનથી ઓછાં નથી આ ફ્રૂટ્સ, આજથી જ ડાયેટમાં સામેલ કરો, રહેશો બીમારીથી મુક્ત

સ્વાસ્થ્ય માટે કંઇ વરદાનથી ઓછાં નથી આ ફ્રૂટ્સ, આજથી જ ડાયેટમાં સામેલ કરો, રહેશો બીમારીથી મુક્ત

ફળનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફળોમાં રહેલા પોષક તત્વો આપણને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી દૂર રાખવાનું કામ કરે છે. ચાલો જાણીએ કે તમે ક્યા ફળોને આહારમાં સામેલ કરી શકો છો.

ફળો  આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન્સ અને મિનરલ્સ જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. સ્વાસ્થ્યની સાથે સાથે તે વાળ અને ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ એવા ક્યા ફળ છે જેનો તમારે આહારમાં સમાવેશ કરવો જોઈએ.

દાડમ- દાડમમાં વિટામિન સી હોય છે. તેમાં એન્ટીઓકિસટન્ડ ગુણધર્મો છે. તેમાં આર્યન, પોટેશિયમ અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે. જે શરીરમાં લોહિની ઉણપ થવા દેતા નથી.

પીચ- પીચ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. તેમાં વિટામિન સી અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. આ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે થાક અને સુસ્તી દૂર કરે છે.

કાળી દ્રાક્ષ- કાળી દ્રાક્ષમાં ફાઈબર, વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેમાં વિટામિન સી હોય છે. આ ખૂબ જ પૌષ્ટિક ફળ છે. તે શરીરમાં કોલેજન ઉત્પાદનમાં મદદ કરે છે. તે તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

પપૈયું- પપૈયામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તમે પપૈયાનું સેવન સલાડ અથવા જ્યુસનાં રૂપમાં કરી શકો છો. તેનું સેવન તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow