મફતમાં ક્યારેય ન લેવી જોઈએ મીઠું-સોય સહિત આ ચાર વસ્તુઓ, ઘરમાં આવે છે દરિદ્રતા

મફતમાં ક્યારેય ન લેવી જોઈએ મીઠું-સોય સહિત આ ચાર વસ્તુઓ, ઘરમાં આવે છે દરિદ્રતા

આ ચાર વસ્તુઓનો ઉપયોગ ક્યારેય મફતમાં ન કરવો

પાડોશીઓ અને સંબંધીઓ પાસે મદદ માંગવી કોઈ ખરાબ વાત નથી. સામાન્ય જીવનમાં બધા લોકો એકબીજાની મદદ કરે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ચાર વસ્તુઓનો ઉપયોગ ક્યારેય મફતમાં ન કરવો જોઈએ.

મીઠુ- વાસ્તુ મુજબ મીઠાનો સંબંધ શનિ સાથે હોય છે. કહેવાય છે કે ક્યારેય પણ બીજા પાસેથી મફતમાં મીઠાનો ઉપયોગ ના કરવો જોઈએ. જો તમારે કોઈ કારણોસર કોઈની પાસેથી મીઠુ લેવુ પણ પડી રહ્યું છે તો તેના બદલે તમારે કોઈ અન્ય વસ્તુ તેને આપી દેવી જોઈએ. મફતમાં મીઠાનો પ્રયોગ કરવાથી જીવનમાં રોગ અને દેવાની સમસ્યા પણ વધી જાય છે.

સોય- વાસ્તુ મુજબ મફતમાં મળેલી સોયનો ક્યારેય પણ પ્રયોગ ના કરવો જોઈએ. મફતમાં કોઈની પાસેથી સોય લેવામાં આવે તો તેનાથી જીવનમાં નકારાત્મકતા વધવા લાગે છે અને પરિવારજનો વચ્ચે પ્રેમ સંબંધ ખરાબ થવા લાગે છે. આ તમારા દામ્પત્ય જીવનને પ્રભાવિત કરવાની સાથે-સાથે આર્થિક મોરચા પર પણ નુકસાન આપે છે. સારું રહેશે કે તમે માર્કેટમાંથી નવી સોય ખરીદીને તેનો ઉપયોગ કરો.

રૂમાલ- આપણે ભૂલથી પણ મફતમાં મળેલા રૂમાલનો પ્રયોગ ના કરવો જોઈએ. એવુ કહેવાય છે કે જો રૂમાલ મફતમાં લઇને ઉપયોગ કરવામાં આવે તો તેનાથી લોકો વચ્ચે મતભેદ થાય છે. આંતરિક કલહ વધે છે. લોકો વચ્ચે સંબંધ ખરાબ થવા લાગે છે. તેથી કોઈની પાસે રૂમાલ માંગશો નહીં અને કોઈને પોતાનો રૂમાલ આપશો નહીં.

લોખંડ અને તેલ- આ બંને વસ્તુઓને શનિ દેવ સાથે જોડવામાં આવે છે. એવુ કહેવાય છે કે લોખંડ અને તેલનો મફતમાં ઉપયોગ જીવનમાં પ્રતિકૂળ પ્રભાવને વધારે છે. દાનમાં લીધેલા લોખંડથી ઘરમાં દરિદ્રતા આવે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow