ગરમીમાં અત્યંત રાહત આપશે આ 5 ફૂડ્સ, શરીરને પણ અંદરથી મળશે ઠંડક

ગરમીમાં અત્યંત રાહત આપશે આ 5 ફૂડ્સ, શરીરને પણ અંદરથી મળશે ઠંડક

ગરમીની સીઝનમાં આપણા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન પડે છે. કાળઝાળ ગરમી, લૂ અને તડકો તમને બીમારી પાડી શકે છે. આ ઋતુમાં આપણે   ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા શરીરમાં પાણી ઓછું ન થાય અને શરીરની અંદર ઠંડક મળતી  રહે. આ સમય દરમિયાન હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનનો ખતરો પણ વધારે હોય છે. આ સ્થિતિમાં તમારે કેટલાક એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જે આ ગરમીના વાતાવરણમાં તમને રાહત આપવાનું કામ કરે છે.

છાશ :
દહીં અને કાળુ મીઠું ભેળવીને છાશ તૈયાર કરશો   તો તેને પીધા બાદ શરીરને ખૂબ જ  ઠંડક મળે છે અને સાથે જો  કોઈ   ઓઈલી ખોરાક ખાધો હશે તો પણ પાચનતંત્ર બગડતું નથી.

લીલા શાકભાજી:
લીલા શાકભાજી આમ તો દરેક બાબતે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ તે ગરમીથી રાહત અપાવવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. તેનાથી પાચનતંત્ર યોગ્ય રહે છે અને પેટમાં થતી ગરમીનો સામનો કરવો પડતો નથી.

લીંબુ:
લીંબુમાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. તે આપણને ગરમીથી તો બચાવે જ છે પરંતુ અંદરથી એકદમ ફ્રેશ રાખે છે. તમે દિવસમાં કેટલાક ગ્લાસ લીંબુ પાણી પી શકો છો.

સંતરા:
ઉનાળામાં સંતરાનું સેવન વધારે કરવું જોઈએ કારણ કે તેમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે.   જે આપણને ડિહાઈડ્રેશનથી બચાવે છે. તેમાં રહેલા વિટામિન સી, ફાઈબર અને કેલ્શિયમ પણ શરીરને ફાયદો કરે છે.

ધ્યાન રાખો: ઉનાળાની ઋતુમાં જો તમે તડકા અને ગરમીથી પરેશાન છો તો ક્યારેય પણ સોફ્ટ ડ્રિંક્સ ન પીવા જોઈએ. આ ડ્રિંક્સના બદલે   નારિયેળનું પાણી પીવાથી શરીરને ઘણા પોષક તત્વો તો મળશે જ, પરંતુ હીટ સ્ટ્રોકનો ખતરો પણ ઓછો થશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow