પાર્ટનર સાથે અણબનાવ થશે દૂર! વાસ્તુ અનુસાર હોળી પર કરી લો આ ઉપાય, સાત જન્મો સુધી સલામત રહેશે જોડી

પાર્ટનર સાથે અણબનાવ થશે દૂર! વાસ્તુ અનુસાર હોળી પર કરી લો આ ઉપાય, સાત જન્મો સુધી સલામત રહેશે જોડી

ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પણ હોળીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ વર્ષે  હોળીનો તહેવાર 8 માર્ચે ઉજવવામાં આવશે. ભારતમાં હોળીની ધૂમ જોઈને બીજા દેશોથી પણ પર્યટકો આવે છે.

બનારસ, મથુરા અને વૃંદાવનની હોળી દુનિયાભરમાં ફેમસ છે. હોળીને રંગોનો તહેવાર કહેવામાં આવે છે. હોળી પ્રેમ શેર કરવાનો તહેવાર છે.  

દરેક લોકો મતભેદ ભૂલીને એક-બીજાને આ દિવસે રંગ લગાવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે હોળીના તહેવાર પર નાની નાની વસ્તુઓ કરવા પર તમારૂ તમારો તમારા પાર્ટનર સાથે સંબંધ વધારે મજબૂત થઈ જાય છે.  

જો હાલમાં તમારા પાર્ટનર સાથે મતભેદ ચાલી રહ્યા છે તો આ હોળી પર વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ ઉપાયો પર જરૂર ધ્યાન આપો. આ તમારા સંબંધમાં પ્રેમને વધારશે.

હોળી પર કરી લો આ ઉપાય
હોળીને ભગવાન કૃષ્ણ અને રાધા સાથે જોડવામાં આવે છે. શાસ્ત્રોના જાણકારોએ જણાવ્યું છે કે જો તમારા સંબંધમાં મિઠાસ નથી તો તેને પાછી લાવવા માટે હોળીના દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાના મંદિરમાં જઈને પૂજા કરો.

આમ કરવાથી તમારો તમારા સાથી પર પ્રેમ વધારે ઉંડો થઈ જશે અને તમારો સંબંધ પહેલાથી વધારે મજબૂત થઈ જશે. મંદિરમાં પૂજા કર્યા બાદ ભગવાન કૃષ્ણના ચરણોમાંથી થોડુ ગુલાલ લઈ તેને રોજ તમારા માથા પર લગાવો. તેનાથી તમારી લવ લાઈફ સારી જશે.

પતિ-પત્ની કરો આ કામ
પતિ-પત્નીની વચ્ચે પ્રેમ વધારવા માટે હોળીના દિવસે વધુ એક ઉપાય કરી શકાય છે. શાસ્ત્રોના જાણકાર જણાવે છે કે હોળીના દિવસે ગૌ માતાને લીલુ ઘાસ ખવડાવવાથી તેમના પર દેવતાઓની કૃપા વરસશે અને તમારી લવ લાઈફ સુંદર થઈ જશે. ગૌ માતાને ઘાસ ખવડાવવાથી તમારી આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થશે જેના કારણે ઘરમાં થતા ઝગડા દૂર થઈ જશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow