પાર્ટનર સાથે અણબનાવ થશે દૂર! વાસ્તુ અનુસાર હોળી પર કરી લો આ ઉપાય, સાત જન્મો સુધી સલામત રહેશે જોડી

પાર્ટનર સાથે અણબનાવ થશે દૂર! વાસ્તુ અનુસાર હોળી પર કરી લો આ ઉપાય, સાત જન્મો સુધી સલામત રહેશે જોડી

ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પણ હોળીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ વર્ષે  હોળીનો તહેવાર 8 માર્ચે ઉજવવામાં આવશે. ભારતમાં હોળીની ધૂમ જોઈને બીજા દેશોથી પણ પર્યટકો આવે છે.

બનારસ, મથુરા અને વૃંદાવનની હોળી દુનિયાભરમાં ફેમસ છે. હોળીને રંગોનો તહેવાર કહેવામાં આવે છે. હોળી પ્રેમ શેર કરવાનો તહેવાર છે.  

દરેક લોકો મતભેદ ભૂલીને એક-બીજાને આ દિવસે રંગ લગાવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે હોળીના તહેવાર પર નાની નાની વસ્તુઓ કરવા પર તમારૂ તમારો તમારા પાર્ટનર સાથે સંબંધ વધારે મજબૂત થઈ જાય છે.  

જો હાલમાં તમારા પાર્ટનર સાથે મતભેદ ચાલી રહ્યા છે તો આ હોળી પર વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ ઉપાયો પર જરૂર ધ્યાન આપો. આ તમારા સંબંધમાં પ્રેમને વધારશે.

હોળી પર કરી લો આ ઉપાય
હોળીને ભગવાન કૃષ્ણ અને રાધા સાથે જોડવામાં આવે છે. શાસ્ત્રોના જાણકારોએ જણાવ્યું છે કે જો તમારા સંબંધમાં મિઠાસ નથી તો તેને પાછી લાવવા માટે હોળીના દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાના મંદિરમાં જઈને પૂજા કરો.

આમ કરવાથી તમારો તમારા સાથી પર પ્રેમ વધારે ઉંડો થઈ જશે અને તમારો સંબંધ પહેલાથી વધારે મજબૂત થઈ જશે. મંદિરમાં પૂજા કર્યા બાદ ભગવાન કૃષ્ણના ચરણોમાંથી થોડુ ગુલાલ લઈ તેને રોજ તમારા માથા પર લગાવો. તેનાથી તમારી લવ લાઈફ સારી જશે.

પતિ-પત્ની કરો આ કામ
પતિ-પત્નીની વચ્ચે પ્રેમ વધારવા માટે હોળીના દિવસે વધુ એક ઉપાય કરી શકાય છે. શાસ્ત્રોના જાણકાર જણાવે છે કે હોળીના દિવસે ગૌ માતાને લીલુ ઘાસ ખવડાવવાથી તેમના પર દેવતાઓની કૃપા વરસશે અને તમારી લવ લાઈફ સુંદર થઈ જશે. ગૌ માતાને ઘાસ ખવડાવવાથી તમારી આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થશે જેના કારણે ઘરમાં થતા ઝગડા દૂર થઈ જશે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow