તરુણીને ધમકાવી ચોકીદારે 3 વાર દુષ્કર્મ આચર્યું

તરુણીને ધમકાવી ચોકીદારે 3 વાર દુષ્કર્મ આચર્યું

શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા પામસિટી એપાર્ટમેન્ટમાં ઘરકામે જતી તરૂણી પર નિયત બગાડી એ જ એપાર્ટમેન્ટના ચોકીદારે ધાક ધમકી આપી તરૂણી પર દુષ્કર્મ આચર્યું હતું, તરૂણીની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેની 17 વર્ષની પુત્રી પર હિતેષ બ્રહ્મભટ્ટ નામના શખ્સે દુષ્કર્મ આચર્યાનું કહ્યું હતું, મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની 17 વર્ષની પુત્રી પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે પારકા ઘરના કામ કરતી હતી, તરૂણવયની પુત્રી પામસિટી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ઘરકામે જતી હતી ત્યારે તે એપાર્ટમેન્ટના ચોકીદાર હિતેષ બ્રહ્મભટ્ટની તેના પર નજર પડી હતી, શરૂઆતમાં તરૂણી સાથે સામાન્ય વાતચીત કરી પરિચય કેળવ્યો હતો અને ત્યારબાદ તારા ભાઇને મારી નાખીશ તેવી ધમકી આપી તરૂણી પર શારીરિક અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હતું.

ચોકીદાર હિતેષ બ્રહ્મભટ્ટે એપાર્ટમેન્ટના રૂમમાં જ તરૂણી પર ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું અને જો સગીરા તાબે ન થાય તો ધમકી આપતો હતો, હિતેષના કરતૂતોથી કંટાળેલી તરૂણીએ અંતે આપવીતી વર્ણવતા પરિવારજનો ચોંકી ગયા હતા અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી હિતેષ બ્રહ્મભટ્ટની શોધખોળ શરૂ કરી હતી.

કુવાડવામાં પોલીસને જોઇ 3 નશાખોર નાચવા લાગ્યા
શુક્રવારે બપોરે રાજકોટના કુવાડવા રોડ પોલીસ કુવાડવા ગામે પેટ્રોલિંગ કરી રહી હતી. આ સમયે ગામમાં આવેલા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે પહોંચતા ત્રણ શખ્સ ત્યાં ઉભેલા જોવા મળ્યા હતા. થોડા નજીક પહોંચતાની સાથે સ્ટેચ્યુ પાસે ઉભેલા ત્રણ શખ્સ પોલીસવાનને જોઇ નાચવા લાગ્યા હતા.

આમ અચાનક ત્રણેય શખ્સ નાચવા લાગતા પોલીસ અચંબામાં મુકાઇ ગઇ હતી. જેથી વાનમાંથી નીચે ઉતરી પોલીસ ત્રણેય શખ્સ પાસે પહોંચતા ત્રણેય ચિક્કાર દારૂના નશામાં હોવાનું જોવા મળ્યું હતુ. પૂછપરછમાં ત્રણેય કુવાડવા ગામના રમેશ ભીખા ગોહેલ, હેમંત બેચર ગોહેલ અને ચના દેવશી ગોહેલ હોવાનું જણાવ્યું હતુ. ગામમાં પોલીસને જોઇ નાચવા લાગેલા ત્રણેય શખ્સને પોલીસ મથક લઇ જઇ તેમની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી લોકઅપમાં બેસાડી દારૂનો નશો ઉતાર્યો હતો.​​​​​​​

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow