કાર બ્રોકરના 30 કલાક બંધ રહેલા ફલેટમાંથી રૂ.3 લાખની મતાની ચોરી

કાર બ્રોકરના 30 કલાક બંધ રહેલા ફલેટમાંથી રૂ.3 લાખની મતાની ચોરી

શહેરમાં તરખાટ મચાવતા તસ્કરોએ વધુ એક બંધ મકાનને નિશાન બનાવ્યું છે. રેલનગર મહર્ષિ અરવિંદ ટાઉનશિપના ડી વીંગમાં સાતમા માળે રહેતા અને કાર લે-વેચનું કામ કરતા ઇમરાન મહમદભાઇ વજુગરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.12ની બપોરે બે વાગ્યે ફલેટ બંધ કરી પરિવારજનો સાથે બહાર ગયા હતા.

તા.13ની રાતે આઠ વાગ્યે પરત આવ્યા હતા. બંધ ફલેટ ખોલી ઘરમાં પ્રવેશ કરતા અંદર ચીજવસ્તુઓ વેરણછેરણ જોવા મળી હતી. જેથી ધંધાના પલંગના ગાદલા નીચે રાખેલા રોકડા રૂ.3 લાખની તપાસ કરતા તે જોવા મળ્યાં ન હતા. બાદમાં ફલેટમાં તપાસ કરતા કોઇ શખ્સ બાથરૂમની બારીમાંથી ઘરમાં પ્રવેશ કરી રોકડની ચોરી કરી ગયો હોવાનું જાણવા મળ્યું હતુ.

બનાવ અંગે પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ બી.વી.ચુડાસમાએ તસ્કરનું પગેરું મેળવવા સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સિસથી ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow