સરહદી વિસ્તારોમાં પર્યટન શરૂ થવાથી સ્થાનિક લોકોમાં આશા જાગી

સરહદી વિસ્તારોમાં પર્યટન શરૂ થવાથી સ્થાનિક લોકોમાં આશા જાગી

77 વર્ષીય વૃદ્ધ કિશનગંગા નદીના બીજા છેડે ધ્યાનથી જોઇ રહ્યા છે,. જ્યાં તેઓ ઊભા છે ત્યાંથી 80-90 મીટરના અંતરે પીઓકેની નીલમ ખીણ છે. જે આપણા દેશના તાજ સમાન છે. આપણી તરફ કેરન ગામ છે. જે શ્રીનગરથી 165 કિલોમીટરના અંતરે આવેલું છે. ઉત્તરી કાશ્મીરના આ ક્ષેત્રમાં જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ ગયા વર્ષે બોર્ડર ટૂરિઝમની શરૂઆત કરી હતી. કલમ 370ને દૂર કરવામાં આવ્યા બાદ ચાર વર્ષ પૂર્ણ થયાં છે સરહદી વિસ્તારોમાં પ્રવાસની શરૂઆત થયા બાદ સ્થાનિક લોકોમાં આશા જાગી છે. ભાસ્કરની ટીમે નીલમ વેલીની પાસે સરહદના અંતિમ ગામ કેરનમાં જઇને સ્થિતિની સમીક્ષા કરી હતી.

અહીંથી આશરે 130 કિમીના અંતરે બાલાકોટ છે, જ્યાં ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક કરીને આતંકી કેમ્પોને ફૂંકી માર્યા હતા. કેરન ગામના લોકોએ દુશ્મનોની ગોળીનો સામનો કર્યો છે. દરેક ઘરમાં બંકર છે. બે વર્ષ પહેલાં સેનાએ કોમ્યુનિટી બંકર બનાવ્યાં હતાં. ગામમાં આશરે 200 પરિવાર છે. દરેક ઘરમાંથી કોઇ ને કોઇ પીઓકેમાં છે. વૃદ્ધ અશરફ મીર કહે છે કે 1986-87માં આતંકની શરૂઆત થઇ હતી અને પાકિસ્તાનમાંથી આતંકી આપણાં ગામોમાં ઘૂસણખોરી કરી ગયા હતા. ગામના લોકો તેમની વાતોમાં આવીને પેલે પાર જતા રહ્યા હતા. તેઓ શિખર તરફ ઇશારો કરતા કહે છે કે ઉપર ભુગના ગામમાં 10 હજાર લોકો રહેતા હતા. પરંતુ સમગ્ર ગામના લોકો તેમની વાતોમાં આવીને જતા રહ્યા હતા. આજે ભુગનામાં સેના ઉપરાંત કોઇ નથી. તમામ ઘર ખાલી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow