સરહદી વિસ્તારોમાં પર્યટન શરૂ થવાથી સ્થાનિક લોકોમાં આશા જાગી

સરહદી વિસ્તારોમાં પર્યટન શરૂ થવાથી સ્થાનિક લોકોમાં આશા જાગી

77 વર્ષીય વૃદ્ધ કિશનગંગા નદીના બીજા છેડે ધ્યાનથી જોઇ રહ્યા છે,. જ્યાં તેઓ ઊભા છે ત્યાંથી 80-90 મીટરના અંતરે પીઓકેની નીલમ ખીણ છે. જે આપણા દેશના તાજ સમાન છે. આપણી તરફ કેરન ગામ છે. જે શ્રીનગરથી 165 કિલોમીટરના અંતરે આવેલું છે. ઉત્તરી કાશ્મીરના આ ક્ષેત્રમાં જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ ગયા વર્ષે બોર્ડર ટૂરિઝમની શરૂઆત કરી હતી. કલમ 370ને દૂર કરવામાં આવ્યા બાદ ચાર વર્ષ પૂર્ણ થયાં છે સરહદી વિસ્તારોમાં પ્રવાસની શરૂઆત થયા બાદ સ્થાનિક લોકોમાં આશા જાગી છે. ભાસ્કરની ટીમે નીલમ વેલીની પાસે સરહદના અંતિમ ગામ કેરનમાં જઇને સ્થિતિની સમીક્ષા કરી હતી.

અહીંથી આશરે 130 કિમીના અંતરે બાલાકોટ છે, જ્યાં ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક કરીને આતંકી કેમ્પોને ફૂંકી માર્યા હતા. કેરન ગામના લોકોએ દુશ્મનોની ગોળીનો સામનો કર્યો છે. દરેક ઘરમાં બંકર છે. બે વર્ષ પહેલાં સેનાએ કોમ્યુનિટી બંકર બનાવ્યાં હતાં. ગામમાં આશરે 200 પરિવાર છે. દરેક ઘરમાંથી કોઇ ને કોઇ પીઓકેમાં છે. વૃદ્ધ અશરફ મીર કહે છે કે 1986-87માં આતંકની શરૂઆત થઇ હતી અને પાકિસ્તાનમાંથી આતંકી આપણાં ગામોમાં ઘૂસણખોરી કરી ગયા હતા. ગામના લોકો તેમની વાતોમાં આવીને પેલે પાર જતા રહ્યા હતા. તેઓ શિખર તરફ ઇશારો કરતા કહે છે કે ઉપર ભુગના ગામમાં 10 હજાર લોકો રહેતા હતા. પરંતુ સમગ્ર ગામના લોકો તેમની વાતોમાં આવીને જતા રહ્યા હતા. આજે ભુગનામાં સેના ઉપરાંત કોઇ નથી. તમામ ઘર ખાલી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow